કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસમાં બે વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે અમિત શાહની બે દિવસમાં બે વખતની મુલાકાતને રાજ્યમાં યોજાનારી પેટાચૂંટણીને પ્રદેશ ભાજપના સંગઠન સાથે મુલાકાત યોજાય તેવી શક્યતા છે.
સુરતમાં અમિત શાહ રાત્રી રોકાણ કરશે
19 ઓક્ટોબરના રાત્રે સોમનાથમાં રાત્રી રોકાણ કરશે
અમિત શાહ 20મીએ સોમનાથમાં દર્શન કરશે
આજે સુરત ખાતે અમિત શાહ આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. ત્યારે અમિત શાહ આજે રાત્રે સુરત આવી પહોંચ્યા બાદ રાત્રિ રોકાણ કરશે. જો કે આવતી કાલે એટલે કે 19મીએ મહારાષ્ટ્રના નવાપુરામાં ચૂંટણીને લઇને જાહેરસભાને સંબોધન કરશે
19મીએ અમિત શાહ સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે
મહારાષ્ટ્રમાં ચૂંટણીસભાને સંબોધન કર્યા બાદ અમિત શાહ 19મીએ કેશોદ ખાતે એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે.
અમિત શાહ 20મીએ સોમનાથ મહાદેવના દર્શન કરશે
19મીએ સોમનાથ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ અમિત શાહ 20મીએ સોમનાથ મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ અમિત શાહ અમદાવાદ આવશે. જ્યાં તેઓ પ્રદેશ ભાજપ સંગઠન સાથે પેટાચૂંટણીને લઇને બેઠક કરે તેવી શક્યતા છે.