અમિત શાહ જમ્મુ કાશ્મીરના 3 દિવસીય પ્રવાસથી પાછા ફરી ચૂક્યા છે. ગૃહમંત્રી 5 ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 હટ્યા બાદ પહેલી વાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. પરંતુ 3 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે મુખ્ય સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરી. સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે અમિત શાહે અધિકારીઓને સીધી રીતે કહ્યું કે તે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા સંપૂર્ણ ફોકસ રાખે.
જેમને ડર લાગેલો રહે છે તે બીજે ટ્રાન્સફર લઈ લે
સૂત્રોના જણાવ્યાનુસાર આ બેઠકમાં શાહે પહેલા ગુપ્તચર વિભાગના પ્રમુખોને સંબોધિત કર્યા અને તેમને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને કેવી રીતે રોકી શકાય તે અંગેના ઉપાયો અંગે પુછ્યુ. અધિકારીઓએ શાહને તેમની કાર્ય શૈલી અંગે જણાવ્યું અને એમ પણ કહ્યું કે સ્થાનીય અધિકારી ઈન્ટેલિજન્સ તરફથી આપવામાં આવેલી ઈન્ફોર્મેશન પર કાર્ય નથી કરવા માંગતા. સૂત્રોએ કહ્યું કે શાહે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે અધિકારીઓને ડર લાગે છે તેમણે કાશ્મીરમાં કામ ન કરવું જોઈએ એની જગ્યાએ તેમણે બીજી જગ્યાએ ટ્રાન્સફર લઈ લેવું જોઈએ.
11 ઘૂસણખોરીના જવાબમાં શાહે કહી આ વાત
સૂત્રોનું કહેવું છે કે તેમણે આ ફક્ત એક વાર જ નથી કહ્યું બલ્કે આ વાતને બેવાર વાગોળી અને આવા અધિકારીઓને અહીંથી તાત્કાલીક જવા માટે કહ્યું છે. મનાઈ રહ્યું છે કે શાહે પ્રવાસ દરમિયાન સેના કમાન્ડર સાથે પણ વાત કરી. અધિકારીએ તેમને જણાવ્યું કે ઘૂસણખોરીમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 2021માં ફક્ત 11 ઘૂસણખોરી થઈ છે. સૂત્રોના જણાવ્યું કે આના પર અમિત શાહે જવાબ આપ્યો કે જો ઘૂસણખોરી ફક્ત 11 છે તો હત્યામાં પણ ઘટાડો આવવો જોઈએ.
ફક્ત 11 જ ઘૂસણોરી થઈ તો આતંકવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થવો જોઈતો હતો
શાહે કહ્યું કે જો ફક્ત 11 જ ઘૂસણોરી થઈ છે તો ઘાટીમાં આતંકવાદ અને લોકોની હત્યાઓ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જવી જોઈતી હતી. જે નથી થઈ. તેમણે અધિકારીઓને કહ્યું કે શું તમને લાગે છે કે આ યોગ્ય જવાબ છે. બેઠકમાં ભાગ લેનારા મુખ્ય અધિકારીઓમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્ય સચિવ, જમ્મુ કાશ્મીર, ડીજીપી, કાશ્મીર, આઈજી કાશ્મીર , ઈન્ટેલિજેન્સ બ્યૂરો અને રો પ્રમુખ તથા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા શામેલ હતા.