લોકસભામાં રાહુલ ગાંધીનો બચાવ કરતાં અધિર રંજને સત્તા પક્ષ પર પ્રહારો કરતાં કહ્યું કે, 'આજે રાહુલ ગાંધીએ સૌને પપ્પૂ બનાવ્યું છે. '
લોકસભામાં રાહુલ ગાંધીનાં બચાવમાં અધિર રંજન
કહ્યું રાહુલ ગાંધીએ સૌને પપ્પૂ બનાવ્યું છે
બીજેપી vs રાહુલ ગાંધી- અધીર રંજન
અમિત શાહે વળતો પ્રહાર કર્યો
અધિર રંજન ચૌધરીએ રાહુલ ગાંધી પર સત્તા પક્ષની તરફથી થઈ રહેલા સતત પ્રહારોને લઈને કહ્યું કે આજે રાહુલ ગાંધીએ સૌને પપ્પૂ બનાવૂ દીધું છે. ત્યારે અમિત શાહે અધિર રંજનને વચ્ચે ટકોર કરતાં કહ્યું કે 'માનનીય સાંસદને તમે પપ્પૂ ન કહી શકે...'
બીજેપી vs રાહુલ ગાંધી- અધીર રંજન
અધીર રંજને કહ્યું કે પ્રધાનમંત્રી સંબોધનથી પહેલાં ભારતીય જનતા પાર્ટીની તમામ બ્રિગેડિયરને રાહુલ ગાંધીનાં વિરોધમાં ઊતારી દીધેલ છે. એવું લાગી રહ્યું છે કે બીજેપી વર્સીસ રાહુલ ગાંધી ચાલી રહ્યું છે. તેમણે ચીનનો મુદો ઊઠાવ્યો અને યુદ્ઘનાં સમયમાં સંસદમાં ચર્ચાનો ઉલ્લેખ કર્યો.
'રાહુલ ગાંધીએ પોતે જ તમને પપ્પૂ બનાવી દીધું છે'
તેમણે કહ્યું કે તમે રાહુલ ગાંધીને જેટલું પણ પપ્પૂ બનાવવાનું ઈચ્છો, રાહુલ ગાંધીએ પોતે જ તમને પપ્પૂ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ જે જગ્યાંએ નિશાન સાધ્યું છે તીર ત્યાં જ લાગ્યું છે. તેથી તમારી અંદર ખળભળાટ મચી ગયો છે. અને આ ખળભળાટને કારણે પાર્ટી રાહુલ ગાંધી વિરોધી પ્રહારો કરવામાં લાગી ગઈ છે. તો સામે પક્ષે અમિત શાહે અધિર રંજનને વચ્ચે ટકોર કરતાં કહ્યું કે 'માનનીય સાંસદને તમે પપ્પૂ ન કહી શકે...'