દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતી શોભાયાત્રામાં થયેલી હિંસાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યાં છે.
દિલ્હીમાં હનુમાન જયંતી શોભાયાત્રા હિંસાનો મામલો
ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર સાથે કરી વાત
કડક પગલાં ભરવાનો આપ્યો આદેશ
દિલ્હી જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ શોભાયાત્રામાં થયેલી બબાલ બાદ તરત જ ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને લઈને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી. ગૃહમંત્રીએ પોલીસ કમિશનર સાથે વાત કરી અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તથા તોફાનીઓ સામે કડક હાથે કામ લેવાનો નિર્દેશ આપ્યો છે.
Union Home Minister Amit Shah speaks to top Delhi Police officers, directs them to take necessary action in wake of Jahangirpuri violence
દિલ્હી પોલીસે લોકોને આ અપીલ કરી
દિલ્હી પોલીસ કમિશનરે લોકોને ઘરની બહાર ન નીકળવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
તોફાનીઓને છોડાશે નહીં: કમિશનર
દિલ્હી પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું છે કે આ ઘટનામાં સામેલ બદમાશોને છોડવામાં આવશે નહીં.
In today's incident in NW District, the situation is under control. Adequate additional force has been deployed in Jahangirpuri & other sensitive areas. Senior officers have been asked to remain in field and closely supervise the law & order situation & undertake patrolling. 1/2
ઉપદ્રવ બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર
જહાંગીરપુરીની ઘટના બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી પોલીસના કમિશ્નરે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Delhi | Lt Governor has condemned the incidents of violence and stone-pelting in the national capital as unfortunate and said that none behind these activities will be spared.He also took stock of the situation along with CP, Delhi and has appealed to the people to maintain peace pic.twitter.com/GkfGt6iyG7
હિંસામાં બે પોલીસકર્મી ઘાયલ
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસકર્મીઓની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બદમાશોએ પથ્થરમારો કરવાની સાથે સાથે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
આખો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો
જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.