અમરેલી જિલ્લાની નાની કુંકાવાવમાં શિક્ષકની બદલી કરવામાં આવતાં છેલ્લા ઘણા દિવસથી સ્કૂલમાં ભણવાનું બંધ છે ત્યારે જિલ્લાના DPEO ગામની મુલાકાતે પહોંચી ગયા હતા. જો કે તેમણે શિક્ષકની બદલી નિયમ અનુસાર કરવામાં આવી છે, અને જો શિક્ષકને અહી રાખવામાં આવે તો તેને પગાર કોણ ચૂકવશે. જો કે શિક્ષણાધિકારીના આ સવાલને લઇને ખેડૂતે 1 લાખ રૂપિયા ટેબલ પર મુકી દીધા હતા.
અમરેલીના નાની કુંકાવાવમાં ગામ લોકોની ગાંધીગીરી
સભામાં ખેડૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને એક લાખ ધરી દીધા
શાળા ચાલું રાખવા ગામ પગાર ચુકવશે એવું DPEO કહ્યું હતું
શિક્ષણાધિકારીએ મુકેલી શરતને લઇને અમરેલીના નાની કુંકાવાવ ગામમાં લોકો ગાંધીગીરી પર ઉતરી આવ્યા હતા. ગામની શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ગામના લોકો ઈચ્છે કે શાળા ચાલુ રહે.
જો કે તેના માટે પુરતા વિદ્યાર્થીઓની સંખ્યા ન હોવાથી અમરેલીના DPEO જાદવે લોકો સામે એક શરત મુકી અને કહ્યું કે જો ગ્રામજનો શિક્ષકને પગાર ચૂકવવા તૈયાર હોય તો શિક્ષકને અહીં રાખીએ નહીં તો સરકારી નિયમ અનુસાર તેઓની બદલી કરવામાં આવી છે.
ત્યારે ગ્રામજનોએ આ મામલે DPEOની બોલતી બંધ કરી દીધી. ગ્રામજનોએ ટેબલ પર એક લાખ રૂપિયા એડવાન્સ ધરી દીધા હતા. ખેડૂતો શાળાને બંધ થતી રોકવા માટે શિક્ષકને પગાર ચૂકવવા માટે તૈયાર થઈ ગયા હતા.
ગ્રામજનોએ કહ્યું કે લો આ લાખ રૂપિયા અને આજથી શાળા શરૂ કરી દો. જોકે DPEO જાદવ ગ્રામજનોને ઓફર આપીને ફસાઈ ગયા હતા તેવુ દેખાઇ રહ્યું હતું. જો કે તેમણે બાદમાં જણાવ્યું હતું કે ગ્રામજનો પગાર ચૂકવે તો પણ તેમને અહીં રાખી શકાય નહીં.
જો કે છેલ્લા 15 દિવસથી સંતાનોને સ્કૂલ નહી મોકલવાના નિર્ણયને વાલીઓએ શિક્ષણાધિકારીની મુલાકાત બાદ બદલતાં બાળકોને હવે સ્કૂલે મોકલવાનો નિર્ણય લીધો હતો.