લદ્દાખના ગલવાન ઘાટીમાં LAC (Line of Actual Control) પર 16 જૂને ભારત અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઇ ગયા જ્યારે ચીનને આનાથી ઘણુ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 40થી વધુ ચીની સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા છે જેમાં તેમના કમાંડિંગ અધિકારી પણ સામેલ છે. હવે આ વાતનો દાવો અમેરિકન ગુપ્તચર એજન્સી દ્વારા પણ કરવામાં આવ્યો છે.
ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ
ભારતના 20 જવાન શહીદ થઇ ગયા
તો ચીનના 35 સૈનિકોના મોત થયા હોવાનો અમેરિક ગુપ્તચર એનજ્સીનો દાવો
અમેરિકન ન્યૂઝ વેબસાઇટ U.S Newsએ અમેરિકન ગુપ્તચર એજન્સી દ્વારા મળેલી માહિતીથી જણાવ્યું છે કે લદ્દાખના ગલવાનમાં ભારત અને ચીની સૈનિકોનું લોહિયાળ ઘર્ષણ થયું જેમાં ચીનના 35 જવાન માર્યા ગયા છે જેમાંથી એક સીનિયર અધિકારી પણ સામેલ છે.
આ ઘટના તે સમયની છે જ્યારે બોર્ડર પર તણાવ ઓછા કરવા માટે બન્ને પક્ષો વચ્ચે પર્વતીય ક્ષેત્રમાં એક બેઠક થઇ રહી હતી. બોર્ડર પર શાંતિ બનાવી રાખવા માટે બન્ને પક્ષોએ સહમતિ વ્યક્ત કરી હતી.
કેટલાક જવાનોના મોત ઉંડી ખીણમાં પડી જવાથી
અમેરિકન ન્યૂઝ વેબસાઇટે ગુપ્તચર એજન્સીના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે હિંસક અથડામણ દરમિયાન ચીન તરફથી કાંટાળા દંડા અને ચાકૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક જવાનોના મોત ઉંડી ખીણમાં પડી જવાથી થયા.
ન્યૂઝ રિપોર્ટમાં ગુપ્તચર એજન્સીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચીની સરકાર અત્યાર સુધી એટલા માટે સ્વીકાર નથી કરી રહી કારણ કે તેઓ ચીનની જનતાની સામે શર્મસાર નથી થવા માંગતી. કોરોનાના કારણે પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની લોકપ્રિયતા ઘટી ચૂકી છે.
એમ્પ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને મૃત ચીની સૈનિકોને લઇ જવાયા
ત્યારે ભારતીય ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગલવાન ઘાટીમાં બોર્ડર પર હિંસક અથડામણ બાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર પર ઇજાગ્રસ્ત અને મૃત ચીની સૈનિકોને લઇ જવાયા.
આ અથડામણમાં ચીનના 40થી વધુ સૈનિકોમાંથી કેટલાકના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. જોકે, ચીને પોતાની તરફથી આની કોઇ પુષ્ટિ નથી કરવામાં આવી. ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે ચીનની સેનાને થયેલા નુકસાનની વાત માની છે પરંતુ મોતના કોઇ આંકડા નથી આપ્યા.