અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને બોર્ડર પર ઘુસપેઠ રોકવા માટે કહ્યુ.
અમેરિકાના અધિકારીએ કહ્યુ કે, ''રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને LoC પર ઘુસપેઠ રોકવા માટે કહ્યુ છે.'' આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર હુમલા કરનારા સમૂહને બંધ કરવા માટે કહ્યુ.
Senior US administration official: President Trump is also calling for Pakistan to prevent cross-border infiltration across the LoC & stop groups' bases on its soil that have attacked India in the past. (2/2) https://t.co/TD9OmsNKE5
Senior US administration official during a media briefing on the G7: President Donald Trump is likely to hear from PM Narendra Modi on how he plans to reduce regional tensions and uphold respect for human rights in Kashmir. (1/2)
અમેરિકાના અધિકારીએ કહ્યુ કે, G 7 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીરના મામલા માટે વાતચીત કરી શકે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મૂ અને કાશ્મીરના તણાવને ઓછુ કરવા માટેના પ્લાન વિશે ચર્ચા કરી શકે છે. પાકિસ્તાન દ્વારા જમ્મૂ અને કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘનની વાતચીત કરવામાં આવી રહી છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી મોદીને સાથે આ મામલાને લઇને વાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G 7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે, ફ્રાન્સ પહોંચ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી, જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ શામેલ હતા. આ સિવાય કાશ્મીર અને આતંકવાદ પર બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત થઇ.
France President Emmanuel Macron in a joint statement with PM Modi: It's important that peace is maintained there (J&K). We would always want peace & dialogue. I will talk to Pakistan PM as well after a few days & say that the talks should be held at bilateral level only https://t.co/xgZ2f93pfU
France President Emmanuel Macron in Chantilly: PM Modi told me everything about Kashmir & the situation in J&K. I said Pakistan & India will have to find a solution together & no third party should interfere or incite violence. pic.twitter.com/RmjEy7VIX8
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રોએ કહ્યુ કે, ''અમે ઇચ્છીશું કે કોઇ પણ ત્રીજો દેશ કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ ના કરી અને ન તો હિંસા ભડકાવવા માટે કામ કરે. પ્રધાનમંત્રી મોદીએ મને જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર કહ્યુ. આ એક આંતરિક મામલો છે. આ મામલાને લઇને કોઇ ત્રીજી વ્યકિતએ હસ્તક્ષેપ ના કરવો જોઇએ. આ સ્થિતિનું નિરાકરણ ભારત અને પાકિસ્તાન લાવી શકે છે, જે જરૂરી છે. થોડા દિવસ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરીશું. અમે ઇચ્છીશું કે ક્યાંય પણ આતંકવાદની ઘટના ના હોય.''