હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી વરસાદ આગાહી કરી છે, આ વખતે હોળીની જ્વાળા વાયવ્ય દિશા બાજુ દેખાઈ
હોળીની જ્વાળા પરથી આગાહી
અંબાલાલ પટેલે કરી આગાહી
વાયવ્ય દિશા બાજુથી દેખાઇ જ્વાળાઓ
હોળીનો તહેવાર આધ્યામિક રીતે તો મહત્વનો છે જ, પરંતુ હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે.હોળીમાં પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય. પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ થાય છે.. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા અને પવનની દિશા પરથી વરસાદ અને ગરમીના વરતારા કર્યા છે.
'ભારે પવન સાથે વરસાદ'
હોળીની જ્વાળા જોઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે જ્વાળાઓ વાયવ્ય દિશા બાજુ દેખાઈ છે જેથી ચોમાસાની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદ આવશે. તેમજ વર્ષ દરમિયાન આંધીઓનું પ્રમાણ વધશે અને સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી શક્યતા છે.
'ઉનાળો ખૂબનો તપશે'
તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે. અંબાલાલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે, 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46 -47 ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ લાવશે.
હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે, પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે ત્યારે જાણો હોળીના વરતારા વિશે
ક્યારે વરસાદની સંભાવના?
પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ થાય છે
હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા શિયાળો સારો ગણાય
હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો ખંડવૃષ્ટિ થાય છે
પશ્વિમ દિશાનો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય
હોળીમાં દક્ષિણ દિશાનો પવન ફૂંકાય તો દુષ્કાળનો ભય સેવાય
હોળીમાં ઇશાન ખુણાનો પવન ફૂંકાય તો વરસ સારુ રહે, પણ ઠંડી રહે
હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો રહે
હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે
ક્યારે દુષ્કાળની સંભાવના
હોળીમાં અગ્નિ દિશાનો પવનથી દુષ્કાળની સંભાવના રહે છે
ચારેય દિશાથી પવન જુદી-જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે
આ કારણે પ્રજા, પશુ, રાજા માટે નુકસાન થઇ શકે છે
હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો રાજગાદી-નેતાને મુશ્કેલી આવે
હોળીમાં વિષ્ટિ યોગ
આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ જોવા મળી રહ્યો છે કારણ કે હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળી રહી છે, હોળીમાં ભદ્રા નિષેધ કહેવાય છે હોળીમાં પુછડે વિષ્ટિ યોગ અને ભદ્રા નુકસાન પહોંચાડી શકે છે. હોળીમાં ભદ્રા અને વિષ્ટિ યોગ હોવાથી યુદ્ધ, ભય, આતંકી ઘટના વગેરે બની શકવાના પૂરેપૂરા એંધાણ છે. ધૂળેટીના દિવસે સંપૂર્ણ કાલસર્પ યોગ છે, જે યુદ્ધ, ભય લાવી શકે છે.