રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. નવરાત્રી, દિવાળી, નવુ વર્ષ અને ભાઇબીજને લઇને સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત મામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં મા અંબાના ધામ અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને લઈ મોટા સમાચાર
નવરાત્રીમાં અંબાજી મંદિર નવેય દિવસ ખુલ્લું રહેશે
અંબાજી મંદિર ટ્રસ્ટે સમયમાં ફેરફાર કર્યો છે
કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રીમાં બંધ રાખવામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આસો નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રહેશે. તેને લઇને મંદિર ટ્ર્સ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રીના દિવસોમાં મા અંબાની પૂજા-અર્ચના અને આરતી માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.
17 ઓક્ટોબર 2020થી આસો નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. નવરાત્રીમાં આઠમના દિવસે સવારે 6 વાગ્યે આરતી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી 17/10/2020થી સમય નીચે મુજબ રહેશે.