જો તમારે અંબાજી જવાનો પ્લાન કરતા હોય તો તમે આ સમાચાર જાણી લેજો. એક મહિના સુધી અંબાજી જવાનું ટળજો. કારણ કે ગુજરાત સરકારે રોડના સમારકામને લઇને અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અંબાજી-દાંતા હાઇ-વે મહિના સુધી બંધ રહેશે
રોડની સમારકામની કામગીરીને લઇને આ નિર્ણય લેવામાં
જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું
પવિત્ર યાત્રાધામ અંબાજી ધામમાં મા અંબાના દર્શને જતા દર્શનાર્થીઓને દાંતાથી અંબાજી દર્શને જવા માટે એક મહિના સુધી રાહ જોવી પડશે. કારણ કે 1 ડિેસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અંબાજી-દાંતા માર્ગ બંધ રહેશે. ત્રિશુળીયાં ઘાટ પર અકસ્માત નિવારવા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાય છે. થોડા સમય અગાઉ ત્રિશુળીયાં ઘાટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદ જિલ્લાના શ્રદ્ધાળુઓ ભોગ બન્યા હતા. ત્યારે સાવચેતીના ભાગરૂપે આ માર્ગનું સમારકામ કરવામાં આવશે. પ્રોટેક્શન વોલ સહિતની કામગીરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભયજનક વળાંકોને દૂર કરવા માટે સરકારે નિર્ણય લીધો છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દાંતાથી અંબાજી જવા માટે વાયા હડાદ થઈને ડાયવર્ઝન અપાયું છે. ત્રિશુળીયાં ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરીને લઈને આ જાહેરનામું બહાર પડાયું છે. જો કોઈપણ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી થશે.