દાંતા-અંબાજી પહાડી માર્ગને ફોરલેન કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે આ માર્ગને વધુ 15 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, દાંતાથી અંબાજીને જોડતા માર્ગને બંધ કરીને વાહનવ્યવહારને ડાયવર્ટ કરી દેવાયો છે. દાંતાથી અંબાજી જતા ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતો નિવારવા પ્રોટેક્શન વોલ અને રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે.
અંબાજી-દાંતા-ત્રિશુળીયા ઘાટનો માર્ગ બંધ
વધુ 15 માર્ચ સુધી 15 દિવસ બંધ
કલેકટરે આપ્યુ જાહેરનામું
જેને પગલે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ સંદીપ સાંગલે દ્વારા વધુ 15 દિવસ સુધી રસ્તો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ રસ્તાના વિકલ્પ રૂપે દાંતાથી કણબીયાવાસ, કુવારસી, બોરડીયા, બેડા, હાથીપગલા, સનાલી, હડાદ, મચકોડા, ગનાપીપળી, ચિખલાથી અંબાજી પર ડાયવર્ટ કરાયો છે.
રસ્તાનો કરવામાં આવી રહ્યો છે પહોળો
પર્વતીય માર્ગને પહોળો કરવાનો લઈને તંત્ર દ્વારા માર્ગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત થતા તંત્ર દ્વારા માર્ગ પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે. દાંતાથી અંબાજીનો માર્ગ બંધ થતા હવે મુસાફરો હડાદ રોડ થઈને જઈ શકે છે. પાલનપુરથી બાલારામ-વિરમપુર માર્ગથી લોકો જઈ શકે છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટરે રસ્તો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
વારંવાર બની રહેલી અકસ્માતની ઘટના નિવારવા રોડ કરવામાં આવી રહ્યો છે પહોળો
મહત્વનું છે કે આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાય છે. થોડા સમય અગાઉ ત્રિશુળીયાં ઘાટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આણંદ જિલ્લાના શ્રદ્ધાળુઓ ભોગ બન્યા હતા. ત્યારે સાવચેતીના ભાગરૂપે આ માર્ગનું સમારકામ કરવામાં આવશે. પ્રોટેક્શન વોલ સહિતની કામગીરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભયજનક વળાંકોને દૂર કરવા માટે સરકારે નિર્ણય લીધો છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.