જો તમે પણ દરરોજ નટ્સ અને કિશમિશ ખાવો છો, તો સારી વાત છે. પરંતુ શું તમે જાણો છો કે કિશમિશ રોજ રાત્રે પલાળીને ખાવાથી વધારે ફાયદાકારક છે.
જો તમે દરરોજ 10 કિશમિશ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવો, જેનાથી ઘણા રોગો અને બિમારીઓમાં રાહત મળશે. આ સાથે જ સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. જાણો તેનાથી થતા અન્ય ફાયદા વિશે..
- કિશમિશ ખાવાની સૌથી સરળ રીતે રાત્રે પલાળીને મૂકી દો. સવારે ઉઠીને કિશમિશ અને પાણી બંને પી લો. પલળેલી કિશમિશમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. કિશમિશમાં પ્રાકૃતિક રીતે શુગર હોય છે જેથી તેનાથી કોઇ નુકસાન થતુ નથી. પરંતુ જો ડાયાબિટીસના દર્દીઓએ કિશમિશ ખાવાનુ ટાળવુ જોઇએ. કિશમિશ વાસ્તવમાં સૂકાયેલી દ્રાશ જ હોય છે. આ ઘણા રંગોમાં મળી આવે છે. આ સિવાય તમે શાકભાજીનો સ્વાદ વધારવા માટે પણ કિશમિશનો ઉપયોગ કરી શકો છો.
- રાત્રે પલાળી કિશમિશ ખાવાથી અને તેનુ પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સને કારણે ઇમ્યૂનિટી સારી થાય છે અને જેનાથી બહારી વાયરસ અને બેક્ટેરિયા સામે શરીરને રક્ષણ મળે છે.
- રાત્રે પલાળી કિશમિશ ખાવી તમામ માટે ફાયદારૂપ છે પરંતુ તેનો લાભ તે લોકોને મળશે, જે હાઇ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનથી પરેશાન છે. કિશમિશ શરીરના બ્લડ પ્રેશરને નિયત્રિંત કરે છે. તેમાં રહેલા પોટેશિયમ તત્વ તમને હાઇપર ટેન્શનથી બચાવે છે.
- કિશમિશના સેવનથી તમે અનીમિયાથી બચી શકો છે કેમકે કિશમિશને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સાથે જ તેમાં રહેલા વિટામિન B પણ સારી માત્રામાં હોય છે. આ તમામ તત્વો રક્ત ફોર્મેશન માટે મદદરૂપ થાય છે.
- કિશમિશ એટલે કે સૂકી દ્રાશ પાચન તંત્ર માટે ફાયદારૂપ છે, તેમાં મિનરલ્સની માત્રા પણ ઘણી હોય છે. આ હાડકા માટે પણ જરૂરી છે. દિવસમાં 10-12 કિશમિશ ખાવી જોઇએ. જોકે એક વાતનો ધ્યાન રાખો કે પલાળેલી કિશમિશમાં સારા માત્રામાં કેલેરી હોય છે, જેથી ધ્યાન રાખો કે તેનું વધારે માત્રામાં સેવન ના કરવુ જોઇએ. કિશમિશને નિયમત રૂપથી આહારમાં શામેલ કરવામાં આવે તો ડાઇઝેશનમાં આરામ મળે છ, કેમકે તે ભરપૂર ફાયબરયુક્ત હોય છે.