ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીત થતા જ મંત્રીપદને લઇ અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન; 'મંત્રી બનાવવા કે નહીં તે પાર્ટી નક્કી કરશે'
અલ્પેશ ઠાકોરની 43064 મતથી જીત
મંત્રી પદ મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન
"મંત્રી બનાવવા કે નહીં તે પાર્ટી નક્કી કરશે"
વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. તેમજ ઠેર ઠેર જીતની ખુશીની ઉજવણી પણ કરવામાં આવી રહ્યાં છે. અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર જીત થઈ છે તેમણે મંત્રી પદ માટે મોટું નિવેદન આપ્યું છે. જુઓ વીડિયો..
મંત્રી પદ મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન
અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર જીત થઈ છે. કોગ્રેસના હિંમાશુ પટેલને 43064 મતથી હરાવ્યા છે. અલ્પેશ ઠાકોરે જીત્યા બાદ જણાવ્યું હતું કે, સકારાત્મક અને રાષ્ટ્રવાદની રાજનીતિની જીત થઈ છે. મંત્રી પદ મામલે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, કોને મંત્રી બનાવવા તે ભાજપ નક્કી કરશે.
તેમણે જણાવ્યુ કે, આ જીત ભાજપના એક એક કાર્યકર્તાની જીત છે તેમણે જણાવ્યું કે, તેમણે કહ્યું કે નકારાત્મ રાજનીતિનો પરાજય થયો અને સકારાત્મ રાજનીતિનો વિજય થયો છે તેમણે જણાવ્યું કે, અમે વિકાસની રાજનીતિ કરવાવાળા છે તેમણે જણાવ્યું કે, હું મંત્રી બનાવાનો કે નહીં તે પાર્ટી નક્કી કરશે.