પાસ નેતા અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થતા રાજકારણ ગરમાયું છે જેલમુક્ત થતા કહ્યું સામાજિક રીતે તમામ લોકોને મળશું અને ત્યાર બાદ અમે આગામી રણનીતિ મુદ્દે ચર્ચા કરીશું
PAAS નેતા અલ્પેશ કથિરીયા જેલવાસ બાદ મુક્ત થયા
અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાયું
કોંગ્રેસ નેતા અને AAPના કોર્પોરેટરો સ્વાગત માટે ઉમટ્યા
પાસ નેતા અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થતા રાજકારણ ગરમાયું છે હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તેને લઈ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચર્યા કરવામાં આવશે અને આગળ નિર્ણય લેવામાં આવશે તેવું અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે.
અલ્પેશ કથિરીયાને જેલ બહાર સ્વાગત કરાયું
PAAS નેતા અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતા જે બાદ આજે તેઓ મુક્ત થયા છે ત્યારે તમને મળવા માટે અનેક રાજકીય આગેવાન અને તેમના સાથી મિત્રો તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, કોંગ્રેસના મહિલા આગેવાન ગીતા પટેલ કથિરીયાના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યા હતા.
અલ્પેશ કથિરીયા જેલવાસ બાદ મુક્ત થયા
મહત્વનું છે કે અલ્પેશ કથિરીયાના જેલ મુક્ત બાદ હવે રાજકારણ પણ તેજ થઈ ગયું જેલવાસ બાદ મુક્ત થતા અલ્પેશ કથિરીયા કહ્યું કે આટલા સમય બાદ બહાર આવ્યું છે ત્યારે સામાજિક રીતે તમામ લોકોને મળશું અને ત્યાર બાદ અમે આગામી રણનીતિ મુદ્દે ચર્ચા કરીશું તેમને દરેકનો આભાર માનતા દરેક અમારા ભાઈ બંધુ છે તેવું જણાવ્યું હતું.
AAPના કોર્પોરેટરો સ્વાગત માટે ઉમટ્યા
અલ્પેશ કથિરીયા રાજપોલ જેલમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે AAP ના કોર્પોરેટરો પણ ઉમટ્યા હતા આપના કોર્પોરેટર પાયલ પટેલ અને ડૉ.કિશોર રૂપારેલીયા પણ તેમના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યા હતા.
અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાયું
હવે અલ્પેશ કથિરીયાની મુક્તિબાદ રાજકારણમાં ગરમાવો આવી શકે છે કેમ કે મોટા ભાગના પાસના કાર્યકરોનું આપ પાર્ટીમાં ઝુકાવ જોવા મળી રહ્યો છે, હવે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી ચુકી છે ત્યારે આગામી સમયમાં અલ્પેશ કથિરીયાનું શુ સ્ટેન્ડ રહે છે તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે.
પાસના કાર્યકરો આપને સમર્થન
એક તરફ પાસના કાર્યકરો આપને સમર્થન આપવાની વાતો કરી રહ્યા છે તો બીજી તરફ અલ્પેશ કથિરીયાએ જેલમાંથી મુક્ત થયા બાદ આગામી સમયામાં કેવી આયોજન કરવું અને કેવી રણનીતિ કરવી તેની લઈને સામાજિક આગેવાનો સાથે મળીને ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ પણ અલ્પેશને લઈને ઉતાવળા બન્યા છે.