ઓલ ઇન્ડિયા લશ્કર એ તૈયબા દેશમાં દેશમાં મોટા આતંકી હુમલા કરવાની ફિરાકમાં છે. ઈન્ટેલીજન્સ એજન્સીને દસ્તાવેજ મળ્યો છે જેમાં દેશની મોટી હસ્તીઓ પર આતંકી હુમલાની કાવતરું પકડાયું છે. દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, નાણામંત્રી, ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અન્ય લોકોના નામ સામેલ છે. NIAને જે હિટલિસ્ટ મોકલવામાં આવી છે તેમાં સરસંઘ સંચાલક મોહન ભાગવત, ગૃહ મંત્રી અમિત શાહ અને અજીત ડોભાલ પર પણ જોખમ છે.
પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર ખુલ્લુ પડ્યું
આતંકવાદીઓના નિશાને અનેક ભારતીય VIP
રાષ્ટ્રપતિ કોવિંદ, PM મોદી,વિરાટ કોહલીનું નામ સામેલ
સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દે તેવા કાવતરાંનો ખુલાસો
અવારનવાર આતંકવાદી હુમલા અને આતંકી સાજીશની ખબરો આવતી જ હોય છે પરંતુ હવે જે ખબર આઈ છે તે દેશની સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દે તેવી છે. જાણકારી મળ્યાં પ્રમાણે આતંકવાદીઓ ભારતમાં મોટા આતંકવાદીઓ મોટા હુમલાની તૈયારીમાં છે. ઓલ ઇન્ડિયા લશ્કર એ તૈયબાનાં નામથી ચાલતા આતંકી સંગઠને દેશના VIP લોકોને નિશાને લીધા છે. દેશના VIP લોકોને મારી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આતંકીઓના નિશાને છે.આતંકીઓએ જે કાવતરું ઘડ્યું છે જેમાં દેશના ગૃહ મંત્રી અને RSSના સંચાલક પણ નિશાને છે.
NIAને મળી હિટલિસ્ટ
ઓલ ઇન્ડિયા લશ્કર એ તૈયબાએ જે લોકોને નિશાને લીધ છે તેની એક લિસ્ટ NIAને મળી ગયી છે. ભારતીય ઈન્ટેલીજન્સ ઍજન્સી પાસે સમગ્ર હિટલિસ્ટ આવી ગયી છે. આ હિટલિસ્ટમાં દેશમાં VIP લોકોના નામ છે જેમને આતંવાદીઓ તેમના નિશાને લઇ શકે છે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ પર ખતરો
આતંકવાદીઓએ તૈયાર કરેલી હિટલિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ કોવિંદ પણ આ લિસ્ટમાં સામેલ છે. આતંકવાદીઓ અત્યાર સુધી દેશના સુરક્ષા દળોને નિશાને લેતા હતા ત્યારે હવે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પર પણ આતંકવાદી હુમલાના ખતરાને જોતા સુરક્ષા ઍજન્સીઓએ વધુ સતર્ક થવાની જરુર છે.
ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આતંકીઓના નિશાને
આતંકવાદીઓએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને મારવાની સાજીશ રચી. ઈન્ટેલીજન્સ ઍજન્સીને જે હિટલિસ્ટ મળી છે તેમાં દેશના લોકપ્રિય બેટ્સમેન અને ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ સામે આવ્યું છે.આતંકવાદીઓ દેશમાં મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે ત્યારે વિરાટ કોહલી આતંકીઓના નિશાને છે.
ગૃહ મંત્રી અમિત શાહ, મોહન ભાગવત ઉપરાંત ભાજપ નેતાઓના નામ સામેલ
ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ સંચાલક આતંકીઓના નિશાને હોઈ શકે છે. આ ઉપરાંત હિટલીસ્ટમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ,ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા,જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકના નામ પણ સામેલ છે.
ઈન્ટેલીજન્સ એજન્સીને મળેલા દસ્તાવેજમાં ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ભાજપના વરિષ્ઠ નેતા એલકે આડવાણીનું નામ પણ સામેલ છે.