હાલમાં રણબીર કપૂર અના આલિયા ભટ્ટના અફેરની ચર્ચાનું બજાર ગરમ છે. દરે બે દિવસે બંનેને સાથે સ્પોટ કરવામાં આવે છે. બંને અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ સાથે જોવા મળશે. તાજેતરમાં જ ઇન્ટરવ્યૂમાં રણબીરે પોતાના અને આલિયાના સંબંધને કમ્ફર્મ કર્યું હતું.
આલિયા દરેક વખતે ઇશારા ઇશારામાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતી નજરે જોવા મળી રહી છે પરંતુ ખુલીને બોલી શકતી નથી. આલિયા અને રણબીરની વાતોથી લાગે છે કે બંને પોતાના સંબંધને આગળ લઇ જવા ઇચ્છે છે.
તાજેતરમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં આલિયાએ જણાવ્યું કે 'હાલમાં લગ્ન માટે વિચારી રહી નથી. સાચું કહું તો હું એવી છું પણ નહીં જે આ બધા માટે વિચારતી રહું. હું બસ કરી દઉ છું. હું એક રેન્ડમ માણસ છું. હું સમજ્યા વિચાર્યા વગર નિર્ણય લઉં છું.'
કદાચ બધાને લાગે છે કે હું 30ની ઉંમરમાં લગ્ન કરીશ પરંતુ હું એ પહેલા લગ્ન કરીને ખુદને સરપ્રાઇઝ કરી શકું છું. મારે મારા પાર્ટનર સાથે સહેવા માટે લિવ ઇનની જરૂરત નથી. હું લગ્ન કરીને એની સાથે રહીશ.
આલિયા લિવ ઇન રિલેશનમાં વિશ્વાસ કરતી નથી. એ આગળ કહે છે 'જ્યારે મને લાગશે કે મારે બાળક લાવવું જોઇએ ત્યારે લાવી દઇશ. મને હંમેશા લાગે છે મારે બાળકો માટે લગ્ન કરી લેવા જોઇએ. જ્યારે સાચો સમય આવશે ક્યારે લગ્ન પણ કરીશ અને બાળકો પણ.'