ઓમીક્રોન દહેશત વચ્ચે તંત્રએ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મેડિકલની ટીમો વધારવામાં આવી છે. આ સાથે ગુજરાત બહારથી આવતાં તમામ મુસાફરોને ફરજીયાત ટેસ્ટિંગ કરાશે
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મેડિકલ ટીમ સજ્જ
કાલુપુર રેલવે સ્ટેશન પર ઓમિક્રોનને લઈને ટેસ્ટિંગમાં વધારો કરાયો
મહારાષ્ટ્ર,જામનગરના પેસેન્જરોનું ફરજિયાત ટેસ્ટિંગ
ઓમીક્રોન દહેશત વચ્ચે અમદાવાદ રેલવે સ્ટેશન પર મેડિકલ ટીમ સજ્જ
કોવિડ-19ના નવા વેરીઅન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. બીજી તરફ ગુજરાતમાં માં પણ અત્યારસુધી ઓમીક્રોન વેરીઅન્ટના કેસો આવ્યા છે. અને હજુ આ કેસ વધી શકે છે. ત્યારે ઓમીક્રોન વેરીઅન્ટને ધ્યાનમાં રાખીને તંત્ર અનેક સાવચેતીના પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ રેલવે સ્ટેશન પર મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ટીમોમાં પણ વઘારો કરવામાં આવ્યો છે. જેમાં જામનગર અને મહારાષ્ટ્રના મુસાફરોનું ખાસ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે.
ગુજરાત બહાર આવતાં તમામ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરાશે
આ સાથે ગુજરાત બહાર આવતાં તમામ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહ્યાં છે. તેમજ અમદાવાદ રેલવે સ્ટેશન પર દૈનિક 500થી વધુ મુસાફરોના કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં ઓમિક્રોનના વધતાં જતાં ખતરાને લઈને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.