લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ બસપા સુપ્રીમો માયાવતી જે રીતે સમાજવાદ પાર્ટી અને તેના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કરી રહી છે, જેના કારણે સપાના કાર્યકરો સહિત નેતાઓ આક્રોશમાં જોવા મળી રહ્યાં છે.
જો કે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મુદ્દે પાર્ટીના નેતાઓને કોઇપણ પ્રકારના નિવેદન નહી આપવા અંગે જણાવ્યું છે. જેના કારણે સપાના નેતાઓ બસપા અને માયાવતી વિરુધ્ધ પોતાનો આક્રોશ દબાવી રાખવા મજબૂર બન્યા છે.
પરંતુ સૂત્રોને મળતી જાણકારી મુજબ માયાવતીએ ગઠબંધનને તોડી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ તેના સામે બદલો લેવા સમાજવાદી પાર્ટીએ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ બ્લૂ પ્રિન્ટમાં માયાવતીના મતબેન્કમાં ગાબડૂ પાડવાનો પ્લાન બનાવામાં આવી રહ્યો છે. જેને અખિલેશ યાદવ સંપર્ક અને સંવાદ દ્વારા પરિણામ આપવા ઇચ્છે છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી-બહુજન સમાવાદી પાર્ટીએ ગઠબંધન કરી ચૂંટણીમેદાનમાં ઉતરવાથી સૌથી વધુ ફાયદો માયાવતીને થયો છે. બસપા ઉત્તર પ્રદેશમાં જ્યાં ખાતુ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યું હતું ત્યા તે 10 બેઠક પર પહોંચી ગયું. તેમજ ગત ચૂંટણી કરતાં વોટબેન્કમાં પણ વધારો જોવા મળ્યો.
જ્યારે અખિલેશ યાદવને ગઠબંધનના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. સપાના ત્રણ ટકા મતો ઘટી ગયા. સપા ગત ચૂંટણીની જેમ પાંચ બેઠક પર જીતી ગઇ પરંતુ, પોતાના મજબૂત ગઢ એવા કન્નોજમાં ડિમ્પલ યાદવ, બદાયુમાં ધર્મેન્દ્ર યાદવ અને ફિરોઝોબાદમાં અક્ષય યાદવ હારી ગયા.
માયાવતી આરોપ પર સપાના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવનું ચરિત્ર કોઇને પણ દગો આપવાનું નથી. લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પૂર્ણ ઇમાનદારીથી ગઠબધન ધર્મ નિભાવ્યો હતો. તેમ છતાં માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડી નાંખી પેટા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સપાની નજર પોતાના ગયેલા જનાધારને પરત લાવવા સાતે માયાવતીના દલિત વોટબેન્ક પર પણ છે.