આજે સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં જ તેઓ વિધાનસભા ચૂંટણીમાં કરહલ બેઠક પરથી ચૂંટાયા હતાં.
અખિલેશ યાદવ આજે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપશે
અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના આઝમગઢથી છે લોકસભાના સાંસદ
અખિલેશ યાદવ મૈનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાયા છે
હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભાના છે સાંસદ
આજે સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભાના સાંસદ છે. તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં કરહલ બેઠક પરથી તેઓ ચૂંટાયા હતાં.
#WATCH Samajwadi Party (SP) chief Akhilesh Yadav hands over his resignation to Lok Sabha Speaker Om Birla from his membership of the House. pic.twitter.com/BNxpZUWKwJ
અખિલેશ યાદવ વિધાનસભાના સભ્ય રહીને વિપક્ષની ભૂમિકા મજબૂતીથી નિભાવશે. તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણીમાં કરહલ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને 67,504 વોટથી હરાવ્યા હતાં. જ્યારે અખિલેશ યાદવને 1,48,196 વોટ મળ્યાં હતાં તો એસપી સિંહ બઘેલને 80,692 વોટ મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પણ અખિલેશ યાદવ હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ સતત ભાજપ સરકાર અને તેની નીતિઓનો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ તેઓએ મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી હતી.
તમને જણાવી દઈએ કે, યુપી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી માત્ર 111 સીટો જીતવામાં સફળ રહી હતી. બીજી તરફ ભાજપે પોતાના દમ પર 255 બેઠકો જીતી હતી. ચૂંટણીમાં સપા ગઠબંધનને 125 અને NDAને 273 બેઠકો મળી હતી.
Akhilesh Yadav resigning from Lok Sabha, will retain MLA seat in UP
યુપીમાં વિપક્ષના નામે માત્ર સમાજવાદી પાર્ટી જ છે કારણ કે ચૂંટણીમાં બસપા અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું
નોંધનીય છે કે, યુપીમાં વિપક્ષના નામે માત્ર સમાજવાદી પાર્ટી જ છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં બસપા અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. બસપાને માત્ર એક અને કોંગ્રેસને બે સીટો પર જીત મળી છે. યુપી વિધાનસભામાં આ બંને પક્ષોનું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે.