બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એકે. અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. તેમણે નાગરિકતા સંશોધન બિલ પર કેટલાક તીખા પ્રહાર કર્યા હતા. તેના પર ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ પણ આપ્યો છે, ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ટિપ્પણી પર પણ વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે.
CAB ના વિરોધમાં બાંગ્લાદેશ, ભારત નહીં આવે વિદેશમંત્રી
પાકિસ્તાનને ભારતે રોકડું પકડાવ્યું
પાકિસ્તાની પ્રધાનમંત્રી અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, 'અમને નથી લાગતું કે અમારે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના દરેક નિવેદનનો જવાબ આપવો જોઈએ. તેમના તમામ નિવેદનો અનુચિત છે, ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાને બદલે, તેમણે પાકિસ્તાનની લઘુમતીઓની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
બાંગ્લાદેશી વિદેશ મંત્રી મુલાકાત રદ કરવાના મુદ્દે રવિશ કુમારે કહ્યું છે કે 'તેમણે તેમનો પ્રવાસ રદ કરવા માટે ખુલાસો આપ્યો છે. અમારો સંબંધ મજબૂત છે. જ્યારે બંને દેશોના નેતાઓ પણ કહી ચૂક્યા છે કે અમારા સંબંધોનો ખૂબ જ સારા છે. રવિશ કુમારે કહ્યું, 'અહીં થોડો ભ્રમ દેખાઇ રહ્યો છે. અમે સમજાવ્યું છે કે વર્તમાન સરકારમાં ધાર્મિક જુલમ થઈ રહ્યો નથી.
Raveesh Kumar, MEA on Pak PM's remarks on #CABBill2019: Don't think we need to respond to every statement of Pakistan PM. All his statements are unwarranted, he should rather pay attention to the condition of minorities in Pakistan than comment on internal matters of India. pic.twitter.com/7fE04FJuIq
રવીશ કુમારે કહ્યું કે અમને ખબર છે કે, વર્તમાન સરકારે બંધારણીય જોગવાઈઓ હેઠળ લઘુમતીઓનું સરકારે સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. નાગરિકતા સુધારા બિલ પસાર થયા પછી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પછી વિરોધના સૂર ઉઠતા ભારત સરકારે જવાબ આપ્યો છે.
MEA on Bangladesh Foreign Minister's comment on CAB:There seems to be some confusion. We've explained that religious persecution are not happening under present govt.Migrants who have sought refuge in India from Bangladesh have faced persecution&abuse on religious grounds...(1/2) pic.twitter.com/ShHe2h6Sap
રાજ્યસભામાં બુધવારે પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધ આસામ અને ત્રિપુરામાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી આપી. વિદેશ મંત્રાલય દ્વારા પહેલા જારી સૂચના અનુસાર મોમેનને ગુરુવારે સાંજે પાંચ વાગ્યાને 20 મિનિટ પર અહીં પહોંચવાનું હતું.