જામનગર એપીએમસીને અજમાનું હબ માનવામાં આવે છે.વાર્ષિક 160 કરોડના વ્યાપારનું ટર્ન ઓવર ધરાવતા આ યાર્ડમાં માત્ર ચાર માસમાં 10 કરોડ રૂપિયાના અજામાનું વેચાણ
જામનગરમાં ચાર માસમાં 10 કરોડનાં અજમાનું વેંચાણ
ટર્ન ઓવરના આંકડાને વટાવી નવો કીર્તિમાન થઇ શકે
છેલ્લા ચાર માસમાં 2,75,000 મણ અજમાની આવક
સમગ્ર રાજ્યમાં જામનગર એપીએમસીને અજમાનું હબ માનવામાં આવે છે.વાર્ષિક 160 કરોડના વ્યાપારનું ટર્ન ઓવર ધરાવતા આ યાર્ડમાં માત્ર ચાર માસમાં 10 કરોડ રૂપિયાના અજામાનું વેચાણ થઇ ચુકયુ છે.આ આવક આગામી ઓક્ટોબર માસ સુધી ચાલુ રહેશે. જેને લઈને આ વર્ષે જુના વાર્ષિક ટર્ન ઓવરના આકડાઓ વટાવી નવો કીર્તિમાન સ્થાપવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.
અજમાના ખરીદ વેચાણમાં જામનગર માર્કેટિંગ યાર્ડ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.રાજ્યભરના યાર્ડ પૈકી અહી જ માત્ર અજમાઈ મહતમ ખરીદ પ્રક્રિયા થાય છે.જેને લઈને જામનગર એપીએમસીમાંથી અજામાંની નિકાસ મોટા પાયે થઇ રહી છે.સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓના ખેડૂતો અહી સુધી અજમો વેચવા આવે છે. ગત વર્ષે પાંચ લાખ મણની આવક થઇ હતી અને160 કરોડની કીમત ઉપજી હતી. માત્ર અજમાની જ વાત કરીએ તો જામનગર એપીએમસીમાં દર વર્ષે એકંદરે 160 કરોડની ખરીદી થાય છે.જેની સામે આ વર્ષે વિક્રમી આવકના પગલે છેલ્લા ચાર માસમાં 2,75,000 મણ અજમાની આવક થઇ છે. અને 100 કરોડ રૂપિયા ઉપરાંતનું ટર્ન ઓવર થઇ ચુક્યું છે.