અજય દેવગણ સોશ્યલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. લોકોને કોરોના વાયરસ વિશે જાગૃત કરવા સાથે, તેઓ તેમની ફિલ્મો વિશેની માહિતી પણ શૅર કરે છે. અજય દેવગણ પોતાની એક પોસ્ટ લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. તેણે તેના ટ્વિટર એકાઉન્ટ પર ઇમ્યુનિટી વધારવાની દવાની પોસ્ટ મૂકી છે. અજય દેવગણની આ પોસ્ટ પર, યુઝર્સે તેમને આડેહાથ લીધા છે. તેમના પાન મસાલાની જાહેરાતને લઈને કેટલાક ટ્વિટર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે.
અજયે તેના ટ્વિટર પર કરી મેડિસીન પ્રમોટ
યુઝરે કહ્યું પાન મસાલાની આદત લાગી
વિદેશી કંપનીને પ્રોત્સાહન કેમ?
Hi friends, I’ve been taking IMMU 10T for over a month now. It’s an effective immunity booster. It has really worked for me. If you are inclined to try it, it’s on @amazonIN#YouthSecrets https://t.co/uJDnHVh6Ol
અજયે પોતાની ટવીટમાં લખ્યું છે: "હેલો મિત્રો, હું એક મહિના કરતા વધારે સમયથી આ જવા લઉ છું. આ દવા ખૂબ જ અસરકારક રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. તમે જો આ દવાને અજમાવવા માંગતા હો, તો તમે તેને એમેઝોન ઇન્ડિયાથી ખરીદી શકો છો. "અજય દેવગનના આ ટ્વીટ પર તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું: "અરે સાહેબ, મેં તમારા કહેવા પર પાન મસાલા ખાવાનુ શરૂ કર્યુ હતુ, હવે ટેવ છૂટતી નથી."
Aare sir aapka sunke Vimal try kiya tha...ab aadat chut nahi rahi
અજય દેવગણના ટ્વીટ પર, બીજા એક યુઝરે લખ્યું: "સાહેબ, જ્યારે આયુર્વેદ કંપનીઓએ ઇમ્યૂનિટી બૂસ્ટર માટે તેમની કીટ વહેંચી છે, ત્યારે તમે વિદેશી કંપનીઓને કેમ પ્રોત્સાહન આપી રહ્યા છો ???"
તમને જણાવી દઈએ કે અજય દેવગણ ટૂંક સમયમાં 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા' સાથે ફરી એકવાર છવાશે. ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. અજય દેવગન છેલ્લે 'તન્હાજી: ધ અનસંગ વોરિયર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. વર્ષની શરૂઆતમાં, તન્હાજીએ 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી કાજોલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.