આ દુર્ઘટનાના સમાચાર પછી નેપાળની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (CAAN) એ ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ત્રણેય એર ટ્રાફિક કંટ્રોલર વિભાગમાં પોસ્ટિંગ હતા.
એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સની ફ્લાઈટની ટક્કર ટળી
એક જગ્યાએ બે ફ્લાઈટ ભેગી થઈ ગઈ
નેપાળ એરલાઈન્સે 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
શુક્રવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ હવામાં જ મોટા અકસ્માતનો ભોગ બનતા બચી ગઈ હતી. અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ હવામાં હતી તે જ સમયે નેપાળ એરલાઈનનું એક વિમાન તેની ખૂબ નજીક આવ્યું. જો કે સદનસિબે બંને વચ્ચે ટક્કર થતા રહી ગઈ હતી.
નેપાળ એરલાઈન્સે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
તમને જણાવી દઈએ કે પ્લેનમાં લગાવવામાં આવેલી વોર્નિંગ સિસ્ટમના કારણે પાયલોટે તાત્કાલિક કાર્યવાહી કરી જેના કારણે ઘણા મુસાફરોના જીવ બચી ગયા અને મોટી દુર્ઘટના ટળી ગઈ. આ દુર્ઘટનાના સમાચાર પછી નેપાળની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (CAAN) એ ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ત્રણેય એર ટ્રાફિક કંટ્રોલર વિભાગમાં પોસ્ટિંગ હતા. વિભાગે તેમના પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. CAANના પ્રવક્તા જન્નાથ નિરુલાએ આ માહિતી આપી છે.
મોટો અકસ્માત ટળ્યો
મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે નેપાળ એરલાઈન્સનું A-320 વિમાન કાઠમંડુથી મલેશિયાના કુઆલાલંપુર જઈ રહ્યું હતું. આ દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ કાઠમંડુથી નવી દિલ્હી જઈ રહી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ 19000 ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરી રહી હતી, તે જ જગ્યાએ નેપાળ એરલાઈન્સની ફ્લાઈટ 15000 ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. વિભાગના પ્રવક્તાએ જણાવ્યું છે કે જ્યારે રડાર પર બતાવવામાં આવ્યું કે એક જ જગ્યાએ બે વિમાન ઉડી રહ્યા છે ત્યારે નેપાળ એરલાઈન્સના વિમાનને 7000 ફૂટ નીચે લાવવામાં આવ્યું. સિવિલ એવિએશન ઓથોરિટીએ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી, જેણે વિભાગમાં દરેકની પૂછપરછ કરી હતી. તે સમયે ત્રણ લોકો એર ટ્રાફિક કંટ્રોલિંગનો હવાલો સંભાળતા હતા. CAAN એ ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી એર ઈન્ડિયા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.