કોરોના કાળમાં મનપાના વલણ બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને AHNA સામસામે આવી ગયા છે. સમગ્ર મામલે આહના પ્રેસિડેન્ટ ડૉ.ભરત ગઢવીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને AHNA સામસામે
સમગ્ર મામલે આહના પ્રેસિડેન્ટ ડૉ.ભરત ગઢવીનું નિવેદન
અમારે કઇ રીતે પ્રેક્ટીસ કરવી એ મ્યુ.કમિશનર ન શિખવાડે
ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈન દર્દી માટે રેમડેસિવિરની માગ નથી કરી પરંતુ બેડ નથી મળ્યા અને ઘરે સારવાર ચાલુ છે એવા દર્દીઓ માટે ઈન્જેક્શન આપવામાં આવે.
કઇ રીતે પ્રેક્ટીસ કરવી એ કમિશનર અમને ન શિખવાડે : ડૉ.ગઢવી
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, સત્તાધીશો અમને ધમકી આપવાનો પ્રયાસ ન કરે અને અમારે કઇ રીતે પ્રેક્ટીસ કરવી એ મ્યુ.કમિશનર ન શિખવાડે. તેમણે એવુંપણ કહ્યું હતું કે, ક્યા દર્દીને ક્યારે રેમડેસિવિર આપવું એ ડોકટર પર છોડો. સરકાર માત્ર રેમડેસિવિર અને ઓક્સીજન ઉપલબ્ધ કરાવવાનુ કામ કરે.
રેમડેસિવિર ક્યારે આપવું તે ડૉક્ટર પર છોડો
સરકારને આડેહાથ લેતા ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, ઘરે સારવાર લેતા લોકો માટે સરકાર રેમડેસિવિર ઉપલબ્ધ કરાવે. દોઢ વર્ષથી કોરોના સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે રેમડેસિવિર ક્યારે આપવું એનો ડોક્ટરને અનુભવ છે.
ઓક્સિજન સપ્લાય માટે કોલ સેન્ટર ઉભુ કરવાની કરી વાત
ડૉ. ભરત ગઢવીએ વધુમાં કહ્યું હતું કે, ઓક્સિજન સપ્લાય માટે કોલ સેન્ટર ઉભુ કરવું જોઇએ અને 24/7 એક અધિકારીને જવાબદારી સોંપાવી જોઇએ.
AHNAના સેક્રેટરી ડો. વિરેન શાહે રાજીનામું
AMCના વલણથી નારાજ AHNAના સેક્રેટરી ડો. વિરેન શાહે રાજીનામું આપી દીધુ છે. હોસ્પિટલોની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા રાજીનામુ આપી દીધુ છે. ખાનગી કોવિડ હોસ્પિટલો માટે અવાજ ઉઠાવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરને મુશ્કેલીઓ અંગે રજૂઆત પણ કરી હતી. ડો.વિરેન શાહે જણાવ્યુ હતુ કે, AHNA હવેથી હોમ કેર દર્દીઓની સારવાર નહી કરી.
શું પડી રહી હતી હાલાકી?
AHNA સેક્રેટરી ડોય વિરેન શાહે જણાવ્યું હતુ કે, ઓક્સિજન, રેમડેસિવિર મામલે સંતોષકારક જવાબ ન મળતા રાજીનામુ આપવુ પડી રહ્યુ છે. AHNAને રેમડેસિવિર ઇન્જેક્શન નહી આપે. 15 એપ્રિલથી રેમડેસિવિરનો જથ્થો AHNAને આપવાનું AMCએ બંધ કર્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન ના મળવાથી સ્થિતિ વિકટ બનશે. મનપાનું વલણ ખૂબ જ ખરાબ છે આમાં કામ કેવી રીતે કરવું?
શું છે AHNA?
પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોની તમામ સભ્ય હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાના હેતુથી અમદાવાદ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 121 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,339 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.