અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યૂ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે
અમદાવાદમાં ચોકીદારની ઈમાનદારી
14 લાખ ભરેલી બેગ તેના માલિકને પરત આપી
સોસાયટીના રહીશ ભૂલી ગયા હતા બેગ
આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે. લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા અચકાતા નથી. ત્યારે માણસાભરી ઉદારતા સામે આવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યૂ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે.
વાત કંઈક એવી છે કે આ એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સગાનું અવસાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સગાના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મુકવાનું જ ભૂલી ગયા હતાં અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવારના માંથે એક આફત આવી ગઈ હતી.
પરંતુ તપાસ કરતા બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈ તેમ લાગતા તપાસ કરતા બેગ મળી આવી નહીં 14 લાખ ગુમાવી દીધાનો આઘાતમાં પરિવારે સોસાયટીની ચોકીદાર શંકરભાઈ નેપાળીને ફોન કર્યો હતો. ત્યારે ચોકીદારે કહ્યું કે, ચિંતા ન કરો બેગ મારી પાસે છે અને બધુ સલામત છે. ત્યારે પરિવારને હાશકારો થયો હતો. અને ઈમાનદાર ચોકીદાર પર ગર્વ થયો હતો.
આ ચોકદારે ચાર દિવસ પછી નરેન્દ્રસિંહ જયારે ઈન્દોરથી આવ્યા ત્યારે રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ પુરી કરી છે. ચોકીદારની આ ઉમદા કાર્યથી રહીશોએ રોકડ અને કપડા જેવી અનેક ભેટ સોગાંત આપીને તેમનું સન્માન કર્યુ હતું. નાનો માણસ પોતાની માણસાઈ ક્યારે ચૂકતો નથી અને લોકો માટે આ ચોકીદાર મિશાલ રૂપ છે જેને મન કોઈના રૂપિયા ન પડાવી લેવાય માત્ર પોતાની મજૂરીના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું વાત કરીને ચોકીદારે ખરી માણસાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.