નવા વર્ષ પહેલા ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર અને વડોદરા શહેરમાં 1 જાન્યુઆરીથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. આ નિર્ણય નવા વર્ષથી ઉત્તરાયણ સુધી અમલમાં રહેશે.
મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર
સમયમાં આંશિક ફેરફાર કરાયો જે 14 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે
રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે લાગુ
રાત્રિ કર્ફ્યુના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી ગુજરાતના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. જેનો 14 જાન્યુઆરી સુધી અમલ રહેશે. 14 જાન્યુઆરી બાદ નવી વ્યવસ્થાની જાહેરાત કરાશે. હાલ ચાર મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યુ છે. 1 કલાક કર્ફ્યૂમાં છૂટછાટના નિર્ણયથી વેપારીઓને મોટી રાહત મળશે.
1 કલાકની છૂટથી હોટેલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત
મહત્વનું છે કે, આ અગાઉ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો સમય હતો. જોકે હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે. વેપારી સંગઠનોએ સમયમાં ફેરફારની માંગ કરી રહ્યાં હતા. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે કર્ફ્યૂમાં છૂટ આપવાની માગણી કરી હતી. 1 કલાકની છૂટથી હોટેલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત મળશે. બીજી તરફ 31 ડિસેમ્બર અને નવું વર્ષ આવી રહ્યું છે.
31 ડિસેમ્બર પર અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન
તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસે 31 ડિસેમ્બર અને નવા વર્ષને લઇને કડક બંદોબસ્તની તૈયારી કરી નાખી છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર છે. 31 ડિસેમ્બરે 9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોની ડૉક્ટરી તપાસ થશે. જો નશો કર્યો હશે તો સીધા હોસ્પિટલમાં મોકલવામાં આવશે. કોરોનાના કારણે આ વર્ષે બ્રેથ એનલાઇઝર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઇ બંદોબસ્તમાં 7 DCP, 14 ACP ખડેપગ રહેશે. ઉપરાંત પોલીસ ખાનગી જગ્યાએ પણ ચેકિંગ કરશે.
અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન
31 ડિસેમ્બરને લઈન અમદાવાદ પોલીસનો એકશન પ્લાન
9 વાગ્યા બાદ બહાર ફરતા લોકોનું તબીબી પરીક્ષણ કરાશે
જો નશો કર્યો હશે તો સીધા હોસ્પિટલ મોકલાશે
બ્રેથ એનલાઈઝર પર કોરોના મહામારીને ધ્યાને રાખીને પ્રતિબંધ
બંદોબસ્તમાં 7 DCP, 14 ACP ખડેપગે હાજર રહેશે
પોલીસ ખાનગી જગ્યાએ સરપ્રાઈઝ ચેકિંગ કરશે
હાલ અમદાવાદમાં રાત્રી કર્ફયુ અમલમાં છે જેનું કડક પાલન કરાશે
અમદાવાદમાં 28થી 30 ચેકપોસ્ટ પર ચેકિંગ કરાશે
અમદાવાદ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે
31 ડિસેમ્બરની ઉજવણી 9 વાગ્યા પછી નહીં કરી શકાય
જાહેરનામા મુજબ દિવસ દરમ્યાન ઉજવણી કરી શકશે
જાહેરનામા નો ભંગ થશે તો ગુનો નોંધાશે
ફાર્મ હાઉસ અને હોટલમાં પોલીસની વોચ રહેશે
સી.જી. રોડ, એસ.જી.હાઇવે જેવી જગ્યા પર ભીડ ન કરવી
પોલીસ સર્વેલ્સના કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે
બીજી બાજુ અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદીઓ અને ગુજરાતીઓને મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું.
ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.
વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.