157 વર્ષ જૂના અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટનો પ્રોજેક્ટ 2 વર્ષ પહેલા ફૂલગુલાબી સપનાની જેમ લોકોને બાતવાયો હતો જેના પર પાણી ફરી વળ્યું છે. આ હેરિટેજ સ્ટેશનને તેઓ તેમના હેરિટેજ લૂકમાં નહીં ફેરવી શકે કેમ કે બિલ્ડિંગ ખૂબ જુનું છે. ત્યારે સવાલ થાય કે આટલા ખર્ચા બાદ શોધખોળ બાદ તંત્રને હવે ખબર પડી કે રેલવે સ્ટેશનનું હેરિટેજ લૂક નહીં આપી શકાય? કે પછી મળતિયઓને ટેન્ડરની લહાણીમાં વાસ્તવિકતાઓ સામે આંખ મિંચામણા કરવામાં આવ્યા હતા?
અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક આપવાની યોજના પર પૂર્ણ વિરામ
રેલવે સ્ટેશનના નવીનીકરણના પાયલટ પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું
સ્ટેશનનું સ્ટ્રક્ચર જૂનું હોવાથી ઇમારત ડોમનો વજન ઝીલી ન શકે તેવું તારણ
અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક આપવાની યોજના પર પૂર્ણ વિરામ લાગી ગયો છે.રેલવે સ્ટેશનના નવીનીકરણના પાયલટ પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું.જો કે, સ્ટેશનનું સ્ટ્રક્ચર જૂનું હોવાથી ઇમારત ડોમનો વજન ઝીલી ન શકે તેવું તારણ નીકળતા પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ લાગી ગયો છે.
અમદાવાદ રેલવે મંડળના નિર્ણયથી રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક નહીં મળે. સ્ટેશન પરિસરમાં આખું અમદાવાદ જોવા મળે તેવી આ યોજના હતી. પ્રવેશદ્વાર પર દિલ્લી દરવાજાના ગેટની પ્રતિકૃતિ, સ્ટેશન પરિસરમાં જ આખું અમદાવાદ જોવા મળે તેવો પ્લાન હતો.
સવાલો
1. ટેન્ડર આપતા પહેલા તપાસ કેમ ન કરાઈ ?
2. ટેન્ડર અપાયું ત્યારે ખબર ન હતી કે બિલ્ડીંગ જૂની છે ?
3. જે તે સમયે કોને ફાયદો અપાવવા અપાયું હતું કામ ?
4. હેરિટેજ લૂક નહિ અપાય તો તેના પૈસા કપાશે ?
શું હતો પ્રોજેક્ટ
સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગ પર ત્રણ ગુંબજ (ડોમ) બનાવવામાં આવશે. આ ડોમ જુમ્મા મસ્જિદ પરના ડોમ જેવા છે.
સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટને શહેરના ત્રણ દરવાજા જેવો બનશે.
બિલ્ડિંગની બહારની દીવાલો પર થ્રીડી પેન્ટિંગ તેમજ અંદરની તરફ લાઈટિંગ સાથેના ઝુમ્મર લગાવવામાં આવશે.
બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં સિદી સૈયદની જાળી અને ઉપરના ભાગે ઝરૂખા બનાવવામાં આવશે.
બિલ્ડિંગના પિલરને સરખેજ રોજાના પિલરની જેમ નક્કાશી કરવામાં આવશે.
જૂના બુકિંગ એરિયામાં વિશાળ એલસીડી લગાવવામાં આવશે. જ્યાં લોકોને રેલવે માહિતીની સાથે જૂના ઇતિહાસની માહિતી દર્શાવવામાં આવશે.