અધિક માસ પૂર્ણ થતાં હવે આજથી શુભકાર્યોની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અષાઢીની બીજ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ગઈ છે. તો જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ છે. રથના સમારકામની પ્રારંભિક તૈયારીઓ ખલાસીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રથને રંગ રોગાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી..
અમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જગન્નાથ મંદિર દ્વારા આ વર્ષે એટલે કે ભગવાન જગન્ન્નાથની 141મી રથયાત્રાની મંદિર પરિસર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે આજે પરંપરાગત રથનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસતો આ તૈયારીઓ છેલ્લા એક સપ્તાહથી થઇ રહી છે. તમને જણાવી દઇયે કે આ રથ ૬૮વર્ષ જુના છે. આ સાથે જ આ રથ સાગના લાકડામાંથી બનાવવામાં આવેલાં છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથનું સમારકામ વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું છે.