અમદાવાદના કુખ્યાત અઝહર કીટલી સામે નોંધાઇ વધુ એક ફરિયાદ
વેજલપુરમાં અઝહર કીટલી સામે નોંધાઇ ફરિયાદ
વેપારીને ફોન કરી મારી નાખવાની આપી હતી ધમકી
કુખ્યાત અઝહર કીટલી ગેંગનો ત્રાસ હજુ પણ અમદાવાદમાં વર્તાઇ રહ્યો છે. જેલમાં બેઠા બેઠા વેપારીને ફોન કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. વેજલપુરમાં અઝહર કીટલી સામે ફરિયાદ નોંધાઈ છે. પોતાને મોટો ડોન સમજી વેપારીને ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી. તે બાદ 5 લાખની ખંડણી માંગી વેપારીના ઘરે માણસો મોકલ્યા હતા. શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી ધમકી આપી હતી. આરોપી અઝહર કીટલી જેલમાં રહી નેટવર્ક ચલાવે છે.વેજલપુર પોલીસે અઝહર કીટલી, અઝહર કબૂતર સહિત 6 સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અઝહર કીટલી 2021માં થઈ હતી ધરપકડ
કુખ્યાત અઝહર કીટલીનુ ડોન બનવાનુ સપનુ અમદાવાદ પોલીસે પતાવી દીધું હતું. મુંબઈના ગેંગસ્ટરની જેમ ડોન બનવા માટે ખડંણી નેટવર્ક શરૂ કરનાર અઝહર કીટલીની એટીએસએ 2021માં ધરપકડ કરી હતી અને ત્યાર બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમા ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો.
અઝહર કીટલીની ક્રાઇમ કુંડળી
21 વર્ષની ઉંમરે ક્રાઇમની દુનિયામાં પગપેસારો કર્યો.
વર્ષ 2009ની વર્ષમા સૌથી પહેલો ગુનો આચર્યો.
ધાક ધમકીથી પડાવેલા રૂપિયા દાન અને સેવા કર્યોમાં વાપરતો હતો.
6 વ્યક્તિઓની ગેંગ રાખી ગુનાઓને અંજામ આપતો હતો.
ગુજ-સી ટોક સહિત 19થી વધુ ગુનાઓમાં સંડોવણી
વેપારીને ધમકીઓ આપી રૂપિયા પડાવવામાં માસ્ટર
શહેરનાં જુહાપુરા વિસ્તારમાં રહેતો અને નવમું ધોરણ પાસ કરેલો અઝહર કીટલી પોતાના પિતાની ચા ની કીટલી પર કામ કરતો હતો અને બાદમાં ગાડીના પાટા રીપેરીંગ કરવાનું કામ ગેરેજમાં કરતો હતો અને ગાંધીનગરમા ONGC માં કામ કરતી વખતે અઝહર કીટલીના ડાબા હાથમાં ગંભીર ઇજા થઇ હતી જેના લીધે તે ફરીથી પોતાના પિતા સાથે ચા ની કીટલી ઉપર કામ કરવા લાગી ગયો હતો. હિન્દી ફિલ્મોમા ગેંગસ્ટરને જોઈને ખુદને ડોન સમજીને ગુનાહિત દુનિયામા પ્રવેશ કર્યો હતો.અને શરૂઆતમાં જુહાપુરા વિસ્તારમાં આસપાસના નાના મોટા વેપારીઓને ધમકી આપીને ખડંણી ઉઘરાવવાનુ શરૂ કર્યું અને ધીમે ધીમે હિંમત ખુલતા જે લોકો પૈસા નહિ આપતા તેઓની સાથે મારઝૂડ કરવા લાગતો હતો તેવી જ રીતે ગુનાની દુનિયામાં ધીમે ધીમે પોતાનો ગ્રાફ ઊંચો કરવા લાગ્યો પરંતુ પોલીસે અઝહર કીટલીના વધી રહેલા ગ્રાફને એક જ ઝાટકે નીચો કરી નાંખ્યો છે.
મણિયા સુરવેના વહેમમાં રહેતો
મુંબઇ ગેંગસ્ટર મણિયા સુરવેના વહેમમાં ફરનારો અઝહર કીટલી આજે જેલની હવા ખાઈ રહ્યો છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો થયેલો અઝહર કીટલી 19 જેટલા ગુનાઓને અંજામ આપી ચુક્યો છે.મહત્વનું એ છે કે મુંબઈના બે નામચિહ્ન ગેંગસ્ટરની જેમાં એક મણિયા સુરવે અને બીજો સુલતાન મીરઝા આ બંને ગેંગસ્ટરની કામગીરી મુજબ અઝહર કીટલી શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા માંગતો હતો પરંતુ પોલીસે 2021માં અઝહર કીટલીની ધરપકડ કરીને તેના તમામ નાપાક ઇરાદાઓને નિસ્તો નાબૂદ કરી દીધા હતા. પણ જેલ પ્રશાસનની રહેમ નજર હેઠળ ફરી અઝહર કીટલી પોતાની ધાક જમાવવાની કોશિશ કરી રહ્યો છે.