અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિવારના 4 લોકોની હત્યા કરી ઘરનો મોભી ફરાર, પોલીસે વિનોદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી
અમદાવાદમાં 4 લોકોની હત્યા
વિરાટનગરમાં 4 લોકોની હત્યા
દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ
ગુજરાત રાજયમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિવારના 4 લોકોની ઘાતકી હત્યા કરી ઘરનો મોભી ફરાર થઈ ગયો છે. ઓઢવ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. ચારેય મૃતદેહોને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહતી મુજબ સમગ્રની ઘટનાની વાત કરવામાં આવે તો ઓઢવના વિરાટનગર વિસ્તારના દિવ્ય પ્રભા મકાન નંબર 30માં ઘરનો મોભી વિનોદ નામના ઇસમ વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાની ઘાતકી હત્યા કરી નાશી છૂટયો છે. 15 દિવસથી પરિવાર નિકોલથી ઓઢવમાં આ પરિવાર રહેવા આવ્યો હતો. ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. મૃતદેહ પર હથિયારના ઘા ના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસે વિનોદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી દીધી છે. કેટલાક દિવસ અગાઉ વિનોદને તેની સાસુ સાથે ઝઘડો થયો હતો. ઝઘડા સમયે વિનોદે તેના સાસુને છરી મારી હતી. સાસુએ સારવાર સમયે પડી ગયા હોવાનું કહી સારવાર લીધી હતી.
મૃતકના નામો
સોનલ બેન વિનોદભાઈ (પત્ની)
પ્રગતિ બેન વિનોદભાઈ (દીકરી)
ગણેશ ભાઈ વિનોદભાઈ (દીકરો)
સુભદ્રા બેન
પોલીસે શું જાણકારી આપી?
ઓઢવ પોલીસના જણાવ્યા અનુસાર હાલ પૂરતો હત્યાનો બનાવ લાગી રહ્યો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કેટલીક કડીઓ પણ મળી છે તેણે ડિકટેક્ટ કરવાની કામગીરી હાલ ચાલુ છે. મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. પોલીસે અત્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઇ ગઈ છે. આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે હાલ તેની તમામ પ્રાથમિક માહિતી મેળવાઈ રહી છે. તમામ ડેડબોડીમાં ઊડા અને ઘણા ઘાવ પડેલા છે.
પોલીસને ઘટનાની જાણ કેવી રીતે થઇ?
પોલીસને 4 લોકો ફોન નથી ઉઠાવતા તેવી ફરિયાદ મળી હતી જે બાદ પોલીસે ગુમ થયેલા લોકોની શોધખોળ કરી હતી જેમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.