આગામી તા.પ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન હાથ ધરાશે. આ મહાઅભિયાન સતત ચાર દિવસ ચાલશે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને શહેરનાં મેયર બીજલ બહેન પટેલ દ્વારા તાજેતરમાં ચાર તબક્કામાં ચાર મહિનામાં સાબરમતી નદીને પૂર્ણ સ્વચ્છ બનાવવાના મહત્ત્વાકાંક્ષી આયોજનની જાહેરાત કરાઇ હતી, જોકે સિંચાઇ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાનું િરપેિરંગ કામ હાથ ધરાતાં ગત તા.૪ મે, ર૦૧૪થી નદીનાં પાણીને ખાલી કરાઇ રહ્યાં હોઇ તંત્રે આ તકનો લાભ લઇ નદીના સુકાયેલા પટમાં રહેલો કચરો સાફ કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે, જોકે અગાઉ પણ જંગી મશીનને નદીના પાણીમાં ઉતારીને નદીની લીલ સહિતના કચરાની સફાઇની કામગીરી વ્યાપક પ્રમાણમાં હાથ ધરાઇ હતી. હવે જનભાગીદારીનો નવો અભિગમ અપનાવાશે.
શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો, મ્યુનિસિપલ સ્ટાફ, એનજીઓ, સખી મંડળ તેમજ મ્યુનિસિપલ શિક્ષકો સહિત આશરે વીસ હજાર વ્યક્તિઓ નદીની સફાઇ હાથ ધરવાની હોઇ તંત્ર દ્વારા સમગ્ર નદીના વિસ્તારને વિવિધ બ્લોકમાં વહેંચી દઇ તે મુજબ સફાઇ કામગીરી હાથ ધરવા માટે તમામ ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, જે તે વિભાગના વડા સહિત ઉચ્ચ અધિકારીઓને ગઇ કાલે ખાસ ઓફિસ ઓર્ડર પ્રસિદ્ધ કરીને કમિશનર નેહરાએ જવાબદારી સોંપતાં આ મહાઅભિયાનને સફળ બનાવવા અધિકારીઓ દોડતા થયા છે.
આ ઉપરાંત ટાગોર હોલ ખાતે તા.પ જૂને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (જેટ) અંતર્ગત ઇ-િરક્ષાનો પ્રારંભ કરાશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરભરમાં ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને પ્રતિ ઇ-િરક્ષા ચાર વ્યક્તિની ટીમને જાહેરમાં થૂંકવા સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ જવાબદાર નાગરિકોને દંડવાની કામગીરી સોંપાશે. એક અંદાજ પ્રમાણે પ૦ ઇ-િરક્ષા શહેરમાં દોડતી થવાની હોઇ આગામી જૂન મહિનાથી દર મહિને અંદાજે એક લાખ નાગરિકો સ્થળ પર દંડાશે, જોકે આ કામગીરી કેટલી અસરકારક રહેશે અને ક્યાં સુધી ચાલશે તે જોવું રસપ્રદ બનશે.