અમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યોના પક્ષાંતરના મામલે નિર્દિષ્ટ અધિકારીએ કોંગ્રેસની અરજી ફગાવી છે. સાત સભ્યોને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસેની અરજી નિર્દિષ્ટ અધિકારીએ ફગાવી છે.
અરજી ફગાવતા અધિકારીએ અવલોકન કર્યું કે, વ્હીપનો ઈશ્યૂ થયાના પુરવા રજૂ થયા નથી. વ્હીપની બજવણીના પણ પુરાવા રજૂ થયા નથી. ત્યારે જરૂરી પુરાવા રજૂ ના થતા સભ્યોને ગેરલાયક ઠેરવી શકાય નહીં.
ભાજપ દ્વારા મુકવામાં આવેલી દરખાસ્તાની તરફેણમાં મતદાન કરવામાં આવ્યું હતુ. વૈદ્યાનિક સમિતિની રચનાની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. નિર્દિષ્ટ અધિકારીના નિર્ણય સામે ટૂંક સમયમાં જ હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવશે.