પાક વીમાની કંપનીઓનો સંપર્ક કરતા તેના ટોલ ફ્રિ નંબર બંધ આવે છે. આ ટોલ ફ્રી મુદ્દે કૃષિ મંત્રી ફળદુએ મહત્વનુ નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે ફોન ન લાગે તો કલેક્ટરને જાણ કરો. ખેડૂત ફોન બંધની જાણ કરશે તો જ માન્ય રહેશે. પાક વીમાના નંબર બંધ આવે તેની ફોટાગ્રાફી કરી લેવી. ખેડૂતે નંબર બંધ આવે તેની કલેક્ટરને જાણ કરવી પડશે. તેમજ અન્ય કોઇ પાસેથી પાક નુકશાનીનો વીડિયો કરી તેને મોકલવો પડશે.