પાકિસ્તાન પોતાની કરતૂતોમાંથી બહાર આવી રહ્યું નથી. ગુજરાતની જળસીમામાં ફરી એકવાર પાકિસ્તાને પોતાની કાળી કરતૂતને અંજામ આપ્યો છે. ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી.
જખૌના ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાની મરીનની અવળચંડાઇ
ભારતીય જળ સીમા અંદર માછીમારી કરતી બોટ પર કર્યુ ફાયરિંગ
પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતા માછીમારોમાં ભય ફેલાયો
મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સીની ભારતીય જળસીમામાં પોરબંદર નજીક નાપાક હરકત સામે આવી છે. ભારતીય સીમામાં માછીમારી કરી રહેલ બોટ પર ફાયરિંગ કર્યું હતું.
બોટના ટંડેલના હાથમાં ગોળી ઘૂસી
પાક. મરીને ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બોટના ટંડેલના હાથમાં ગોળી ઘૂસી ગઇ હતી. જ્યારે અન્ય ગોળીઓ બોટની કેબીન સાથે અથડાઇને નીચે પડી ગઇ હતી.
માછીમારોમાં ભયનો માહોલ
જો કે, અચાનક પાકિસ્તાન તરફથી આ રીતે ફાયરિંગ થતાં માછીમારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, ભારતીય સુરક્ષા એજન્સી પણ તાત્કાલિક અસરથી વધુ સતર્ક બની હતી અને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને તે માટે કામગીરી હાથ ધરી હતી. આપને જણાવી દઇએ કે, ચાલુ વર્ષે પાકિસ્તાને 10 બોટ સાથે 56 માછીમારોને બનાવ્યા છે.