અમદાવાદમાં મેયર બાદ મનપા કમિશનરના નામે ખોટા મેસેજ થયા
અમદાવાદ મહાનગર પાલિકાના મેયર કિરીટભાઈ પરમાર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા બાદ આજે AMCના કમિશનર લોચન સહેરા પણ ભોગ બન્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ મનપા કમિશનર લોચન સહેરાના નામે અજણ્યા નંબર પરથી અન્ય અધિકારીઓને મેસેજ ફોરવર્ડ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મ્યુ .કમિશનરના નામે આવતા મેસેજથી આર્થિક વ્યવહાર ન કરવા સૂચના
અધિકારીઓએ શંકા જતા કમિશનર ઓફિસ જાણ કરી હતી અને સમગ્ર ભાંડો ફુટ્યો હતો. આ વાતની જાણ લોચન સહેરાને થતાં તેએ તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી હતી. તેમજ તેમણે તેમના અધિકારીઓને જાણ કરી હતી. મનાપા કમિશનર નામે આવતા મેસેજથી કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર ન કરવાની સૂચના આપી હતી. .
આ પહેલા મનપાના મેયર કિરીટભાઈ પરમારના નામે ખોટા મેસેજ થયા હતાં
અમદાવાદ મહાનગર પાલિકના મેયર કિરીટભાઇ પરમાર પણ થોડા સમય અનુસાર સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે. કેટલીક અજાણી વ્યક્તિઓએ શહેરમાં પ્રથમ નાગરિકને વોટસએપ નંબરમાં મેયરનો ફોટો મુકીને પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું છે. જેમાં વોટસએપમાં મેયરનો ફોટો મૂકી અધિકારીઓને મેસેજ કરવામાં આવતા હતા. અધિકારીઓએ શંકા જતા મેયર ઓફિસ જાણ કરી હતી અને સમગ્ર ભાંડો ફુટ્યો હતો