મોબાઈલ અને સોશિયલ મીડિયા ઝઘડા પાછળનું મોટું કારણ, અન્ય સંબંધોમાં હત્યા થઈ હોય તેવા મોટા ભાગના કિસ્સા
પતિ પત્નીના સંબંધો બન્યા લોહીયાણ
સંબંધોની હત્યાના કેસો વધ્યા
પતિએ કરી પત્નીની હત્યા તો પત્નીએ પતિનું કાસળ કાઢ્યું
પતિ અને પત્નીના સંબંધો લોહિયાણ. ગુસ્સો , માનસિક હતાશ અને પાર્ટનરએ આપેલા દગો જ કારણભૂત છે.. લોકડાઉન બાદ પતિ પત્ની એકબીજા ના ખૂનના પ્યાસા હોય તેવી ઘટનાઓ વધી છે. ત્યારે પતિ પત્ની વચ્ચે પ્રેમ ન બદલે કેમ વધે છે બદલાની ભાવના
ગુજરાત માં લોકડાઉન બાદ પતિ પત્ની વચ્ચે ના સંબંધોને લોહિયાળ બન્યા છે. હવે પતિ પત્ની વચ્ચે પ્રેમ ની ભાવના નહિ પરંતુ બદલાનું જુનુંન જોવા મળે છે. જેનું કારણ છે તાજેતરમાં સામે આવેલી ઘટનાઓ. જેમાં પત્નીની હત્યા કરે છે તો પતિ પત્નીનું કાસળ જ કાઢી નાખે છે.
2021ના વર્ષ માં પતિ પત્ની ના લોહિયાળ સંબંધો પર નજર નાખીએ
સાણંદમાં ચાર મહિનાના લગ્ન જીવનમાં પતિ હિતેશ ઉર્ફે ચકુ ગોહિલે પોતાની પત્ની હંસાની ગળું કાપીને હત્યા કરી મોબાઈલ અને સોનાની વીંટી લઈને ફરાર થઇ ગયો..
વટવામાં પત્ની ફોન પર વધુ વાત કરતી હોવાથી શકાશીલ પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી
વસ્ત્રાલમાં મંગલજ્યોત સોસાયટી માં રહેતા ફેકટરી ના માલિક બિપિનચંદ્ર પટેલની પત્ની દીપતિબેન પ્રેમી સૌરભ સુથાર સાથે મળીને કરી હત્યા.. મોતને હાર્ટ એટેકમાં ખપાવ્યું.. પરિવારને શકા જતા હત્યાનો ભાંડો ફૂટ્યો.
મેઘાણીનગર કુંભાજી ની ચાલી માં મનીષાબેન નિનામાંની હત્યા પતિ નાકુરામે કરી. પત્નીનું પાડોશી સાથે અનૈતિક સંબંધ હોવાથી માર મારીને હત્યા કરી.
બાપુનગરમાં પત્ની યોગીતા સોલંકીનું અન્ય પુરુષ સાથે સબંધ હોવાની જાણ પતિ મેહુલને થતા અતિથિ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને હત્યા કરી.
વડોદરા માં પ્રેમિકા સાથે રહેવા માટે પતિ તેજસ પટેલએ પત્ની શોભના અને દીકરી કાવ્યાની હત્યા કરી.
એલિસબ્રિજમાં પત્ની રેખા ઉર્ફે જાડી સોલંકીએ પ્રેમી સાથે મળીને પતિ જીગ્નેશ ઉર્ફે જગદીશ ની હત્યા કરી.
મોબાઈલ અને સોશિયલ મીડિયા ઝઘડા પાછળનું મોટું કારણ
પતિ પત્ની વચ્ચે ના સંબંધો ખરાબ થવા પાછળ સૌથી મોટું કારણ બન્યું છે મોબાઈલ અને સોશિયલ મીડિયા.. પતિ કામમાં વ્યસ્ત રહે ત્યારે પત્નિ એકલતા માં સોસીયલ મીડિયામાં અન્ય વ્યક્તિના સંપર્ક માં આવી ને અનૈતિક સંબંધો માં બંધાય છે.. જ્યારે પતિ પણ આર્થિક સકડાંમળ, ઘર કંકાસમાં કે અન્ય સ્ત્રી સાથે ના સંબંધોમાં પત્ની સાથે ગેરવર્તુક કરે છે.. સંબંધો માં આવેલી હતાશા, નિરાશા અને અસંતોષ જ સંબંધો ને લોહિયાળ બનાવે છે.. જેમાં પતિ કે પત્ની આપઘાત કરી લે છે અથવા તો હત્યા કરીને સંબંધ નો અંત લાવે છે..
લોકડાઉન બાદ પતિ પત્ની વચ્ચે અંતર આવી ગયું હોવાના અનેક કિસ્સા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયા છે. પરંતુ આ સંબંધ લોહિયાળ બનતા ફક્ત પતિ પત્ની જ નહીં પરંતુ સંતાનો અને પરિવાર ની જિંદગી પર મુશ્કેલી માં મુકાય છે.