બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ભારત / after retirement CJI Chandrachud will get VIP facilities, along with pension know details
Megha
Last Updated: 12:51 PM, 2 March 2024
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ આ વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થશે. જાણીતું છે કે તેઓ 2 વર્ષ સુધી CJIની ખુરશી સંભાળ્યા બાદ નિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડને નવેમ્બર 2022માં CJI તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એવામાં શું તમે જાણો છો CJI ચંદ્રચુડને નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળશે? શું સુવિધાઓ મળશે? ચાલો જાણીએ..
CJI ચંદ્રચુડને નિવૃત્તિ પછી વાર્ષિક રૂ. 16,80,000 પેન્શન અને મોંઘવારી ભથ્થું મળશે. મહિનાની વાત કરીએ તો ચીફ જસ્ટિસને દર મહિને 1,40,000 રૂપિયા પેન્શન મળશે. આ પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ મળશે. આ સાથે, નિવૃત્તિ પર 20 લાખ રૂપિયા સુધીની એકમ ગ્રેચ્યુઇટી પણ આપવામાં આવશે.
CJI DY ચંદ્રચુડ નિવૃત્તિની તારીખથી આગામી છ મહિનાના સમયગાળા માટે દિલ્હીમાં Type-VII આવાસ માટે હકદાર હશે, જે રેન્ટ ફ્રી હશે. એટલે કે તેમને આ ઘરનું ભાડું ચૂકવવું પડશે નહીં. હાલમાં, વરિષ્ઠ સાંસદો અથવા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનોને સામાન્ય રીતે ફક્ત ટાઇપ-VII બંગલા જ મળે છે. નિવૃત્તિ પછી, CJI સાથે તેમના પરિવારને પણ સેન્ટ્રલ સિવિલ સર્વિસના ક્લાસ વન અધિકારી અને તેમના પરિવારની સમાન તબીબી સુવિધાઓ મળશે.
CJI ચંદ્રચુડને તેમની નિવૃત્તિના દિવસથી એક ઘરેલુ નોકર, એક ડ્રાઈવર અને એક સચિવ સહાયક આજીવન મળશે. આ સિવાય CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ દેશના તમામ એરપોર્ટ પર ઔપચારિક લાઉન્જની સુવિધા પણ મળશે.
નિવૃત્તિ પછી CJI DY ચંદ્રચુડને આગામી 5 વર્ષ માટે 24X7 વ્યક્તિગત સુરક્ષા ગાર્ડ મળશે. આ સિવાય તેમના નિવાસસ્થાને 24 કલાક સુરક્ષા જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત તેઓ ફ્રી ટેલિફોન સુવિધા મેળવવા માટે પણ હકદાર બનશે. તે ટેલિફોન કે મોબાઇલ ફોન અથવા બ્રોડબેન્ડ અથવા મોબાઇલ ડેટા કે ડેટા કાર્ડ માટે દર મહિને 4,200 રૂપિયાનું વળતર પણ લઈ શકશે.
વધુ વાંચો: 'જેલમાં જાતિ-ધર્મ આધારિત કેદીઓ સાથેનો ભેદભાવ ખતમ કરો', ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યોને આદેશ
કાયદા મંત્રાલયના એક નોટિફિકેશન મુજબ, CJI આ તમામ સુવિધાઓનો અધિકાર ત્યારે જ મેળવશે જો તેઓ નિવૃત્તિ પછી અન્ય કોઈ સરકારી સંસ્થા પાસેથી આવી સુવિધાઓ ન લેતા હોય. આનો મતલબ એ છે કે જો તમે નિવૃત્તિ પછી અન્ય કોઈ પદ સંભાળો છો, તો તમને ભૂતપૂર્વ CJI તરીકે મળતી તમામ સુવિધાઓ નહીં મળે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા