કોરોના વાયરસને કારણે હાલ લોકો ઘરમાં કેદ છે અને મનોરંજન માટે ટીવી જોઈ રહ્યાં છે. પરંતુ લોકડાઉનને કારણે હાલ કોઈપણ સીરિયલ્સનું શૂટિંગ થઈ રહ્યું નથી. એવામાં સમાચાર મળ્યા છે કે, લોકડાઉન ખતમ થતાં જ સોની ચેનલ તેની કેટલીક સીરિયલ્સને ઓફએર કરવાની છે. આ મામલે હાલમાં જ સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝને એક નિવેદન આપ્યું છે.
સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝને નિવેદન આપ્યું છે કે, માર્ચથી લઈને અત્યાર સુધી તમામ શૂટ ઠપ થઈ ગયા છે. જેના કારણે સ્થિતિ સારી નથી. એવામાં અમે પટિયાલા બેબ્સ, ઈશારો ઈશારો મે, બેહદ-2 જેવા શોના એન્ડનું શૂટિંગ કરી શકીશું નહીં. આ ત્રણેય ફિક્શન શો છે.
એક સમાચાર પ્રમાણે, શોઝના નિર્માતાઓ સાથે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવશે કે હાલ પૂરતા આ શોઝને બંધ કરવામાં આવે. પટિયાલા બેબ્સના નિર્માતા રજિતા શર્માએ કહ્યું કે, અમારો શો ઘણું સારું કરી રહ્યો હતો જોકે, લોકડાઉનને કારણે શોના બાકીના એપિસોડ્સ શૂટ કરી શક્યા નથી. કોઈપણ ખબર નથી કે શૂટિંગ ક્યારે શરૂ કરી શકાશે. આ જ કારણથી અમે આ શોઝને સર્વસંમતિથી ઓફએર કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ, બેહદ-2માં જેનિફર વિંગેટ, શિવિન નારંગ, આશીષ ચૌધરી અને અંકિત સિવાજ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે પટિયાલા બેબ્સમાં અશનૂર કૌર, સૌરભ રાજ જૈન, પરિધિ શર્મા અને અનિરૂદ્ધ દવે છે. ઈશારો ઈશારો મેં મુદિત નાયર, સિમરન પરીંજા, રિશીના કંધારી, કિરણ કરમરકર અને સુધી પાંડે છે.