ઉત્તર પ્રદેશના કાનપુર બાદ આગરામાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, આખી ઘટના બાઇકની નજીવી ટક્કરથી શરૂ થઈ હતી.
કાનપુર હિંસા બાદ આગરમાં બે સમુદાય વચ્ચે પથ્થરમારો
બાઈકની નજીવી ટક્કર બાદ હોબાળો થયો
પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ઉત્તર પ્રદેશના કાનપુર બાદ આગરામાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, આખી ઘટના બાઇકની નજીવી ટક્કરથી શરૂ થઈ હતી. તાજગંજના બસાઈ ખુર્દ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, બસાઈ ખુર્દ વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે અને બંને બાજુ ટાઈલ્સ પડી છે. ત્યાંથી એક મોટર સાયકલ ચાલક પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની મોટરસાઈકલ સ્લીપ થઈ અને એક વ્યક્તિ સાથે અથડાઈ. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો અચાનક પથ્થરમારામાં ફેરવાઈ ગયો હતો.
We are doing a route march to maintain peace among people. The situation is under control, so far 29 people have been arrested. When we were trying to identify the accused, some DVRs (CCTV) from shops were found to be formatted, we are investigating this: Kanpur CP Vijay Meena pic.twitter.com/yILvGBhPPm
મળતી માહિતી મુજબ બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તે જ સમયે, કાનપુર બાદ હવે આગ્રામાં પથ્થરમારાને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. બીજી તરફ કાનપુર હિંસા કેસમાં પોલીસે રવિવારે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, આ સાથે અત્યાર સુધીમાં કુલ 29 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
14 દિવસની પોલીસ કસ્ટડી માગી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાનપુર હિંસાના મુખ્ય આરોપી હયાત ઝફર હાશમી સહિત ધરપકડ કરાયેલા લોકોને રવિવારે સ્પેશિયલ મજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસના રિમાન઼્ડ મળ્યા છે. પોલીસ વિભાગના વડા પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે, સોમવારે કોર્ટની સામે આરોપીઓની 14 દિવસની કસ્ટડી લેવામા આવી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. જ્યારે 100થી વધારે આરોપીઓની ઓળખાણ થઈ ચુકી છે.
Uttar Pradesh | Some people tried to jeopardise the communal situation in Kanpur y'day. Police took the action & situation was brought under control. 18 were arrested yesterday while 6 were arrested today. 3 FIRs were filed. 36 identified so far: Kanpur CP Vijay Singh Meena pic.twitter.com/ExOkjt0bmx
તો વળી કાનપુર પોલીસ વિજય સિંહ મીણાએ આ ઘટનાની તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યું છે. તેમણે કહ્યું કે, અમે તપાસ કરીશું કે, શું કોઈ અરાજક તત્વ પીએફઆઈ સાથે સંબંધ ધરાવે છે. પીએફઆઈએ તે દિવસ મણિપુર અને પશ્ચિમ બંગાળને બંધ કરવાનું આહ્વાન કર્યું હતું.