ફેમસ પેમિલી શો 'તારક મહેતા કા ઉલ્ટી ચશ્મા' થી દિશા વકાણીના એક્ઝિટ સમાચારની વચ્ચે એક બીજા કલાકાર શો છોડી એવી માહિતી શરૂ થઇ ગઇ છે. દયાબેનનું કિરદાર નિભાવનાર દિશા બાદ હવે સમાચાર છે કે શો માં સોનૂનું કિરદાર નિભાવનાર નિધિ ભાનુશાળી પણ શો ને બાય બાય કહેવા જઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર નિધિ પોતાના અભ્યાસના કારણે શો છોડી રહી છે.
નિધિ હાલ મુંબઇની મીઠીબાઇ કોલેજથી બીએ કરી રહી છે અને સારી સ્ટૂડેન્ટ છે. હવે એ પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા ઇચ્છે છે. કારણ કે સારી રીતે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને પોતાના કરિયરને ઊંચુ લઇ જઇ શકે જો કે પ્રોડક્શન હાઉસ હાલ આ મામલે નિધિને રિલેક્સેશન આપવાના મૂડમાં છે. માહિતી છે કે પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે નિધિ શૂટિંગ માટે ઓછો સમય આપીને અભ્યાસ પર સારી રીતે ફોકસ કરી શકે છે.
તેમ છતાં નિધિ પોતાના નિર્ણય પર મક્કમ છે. હવે મેકર્સ એક એક્ઝિટ એપિસોડની તૈયારીમાં છે. જેનાથી એ નિધિના કિરદારને શો થી વિદા કરી શકે. ટપ્પૂ સેના શો ના કેટલાક સૌથી મજેદાર પહેલુઓમાંથી એક માનવામાં આવે છે એના વગર આ શો અધૂરો રહી જશે.