જાડેજાએ આઈપીએલ 2023 ફાઈનલના છેલ્લા બે બોલમાં દસ રન ફટકારીને CSK માટે ટ્રોફી જીતી હતી. બાદમાં આ જીત રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરી હતી
IPL 2023ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ
ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી
જાડેજાએ આ જીત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરી
IPL 2023ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ મેચમાં CSKએ GTને 5 વિકેટથી માત આપી હતી. CSKએ આ જીતની સાથે તેમની ટીમે 5મી વખત IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. CSKની જીત પાછળ શ્રેય રવીન્દ્ર જાડેજાને જાય છે. પોતાની ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી છે
જાડેજાએ આ જીત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરી
જાડેજાએ આઈપીએલ 2023 ફાઈનલના છેલ્લા બે બોલમાં દસ રન ફટકારીને CSK માટે ટ્રોફી જીતી હતી. આ જીત જાડેજાએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરતાં કહ્યું હતું કે, 'ગુજરાત મારુહોમગ્રાઉન્ડ છે અને તેની સામે મારું પાંચમું ટાઇટલ જીતવું એ એક અદ્ભુત લાગણી છે. હું ગુજરાતનો છું, અને આ એક ખાસ લાગણી છે. લોકો અદ્ભુત રહ્યા છે. તેઓ મોડી રાત સુધી વરસાદ બંધ થવાની રાહ જોતા હતા. હું CSKના ચાહકોને અભિનંદન આપવા માંગુ છું, જેઓ અમારું સમર્થન કરવા અહીં આવ્યા હતા.
આગળ રવીન્દ્ર જાડેજા બોલ્યો હતો કે 'હું આ જીત મારી ટીમના ખાસ સભ્ય એમએસ ધોનીને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લી ઓવરમાં, હું ફક્ત એટલું જ વિચારી રહ્યો હતો કે મારે બેટને શક્ય તેટલું સખત સ્વિંગ કરવું પડશે. બોલ ક્યાં જશે, આ વાત મારા મગજમાં જ નહોતી. હું ફક્ત બેટને જોરથી ચાલવાનું વિચારી રહ્યો હતો. હું મારી જાતને ટેકો આપતો હતો અને સીધો શોટ રમવા માંગતો હતો કારણ કે મને ખબર હતી કે મોહિત ધીમા બોલ ફેંકી શકે છે.'
છેલ્લી ઓવરમાં જાડેજાએ બનાવ્યું ચેન્નાઈને ચેમ્પિયન
ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે અંબાતી રાયડુ અને ધોની એક જ ઓવરમાં આઉટ થયા ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતે મેચ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. પરંતુ અંતે બેટિંગ કરવા આવ્યો રવીન્દ્ર જાડેજા. ચેન્નાઈને 6 બોલમાં 13 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં બે બોલમાં 1 ફોર અને 1 સિક્સ ફટકારીને CSKને 5મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.
ધોનીએ હાથમાં ન લીધી ટ્રોફી
ટીમની આ વિજયનો શ્રેય રવીન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને નામે કરવા માટે સીનિયર એમ.એસ ધોનીએ IPLની ટ્રોફીને પોતાના હાથમાં પણ ન લીધી. IPLની ટ્રોફી રાયડુ અને જાડેજાએ પોતાના હસ્તે સ્વીકારી અને ધોનીએ બાજુમાં ઊભા રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યું. છેલ્લે તમામ ખેલાડીઓ મંચ પર આવી ગયાં અને હર્ષોલ્લાસથી ટ્રોફી સ્વીકારી.