ટાટા સમૂહે આ ખોટમાં ચાલી રહી કંપની માટે 12,100 કરોડની બોલી લગાવી હતી. આ બોલી 5,616.97 કરોડ રૂપિયાની આરક્ષિત મૂલ્યથી ડબલ હતી
હાલની સરકારના કાર્યકાળમાં આ બીજી ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે
એર ઈન્ડિયાની કમાન ટાટા જુથના સમૂહને સોંપવામાં આવી હતી
ટાટા સમૂહે આ ખોટમાં ચાલી રહી કંપની માટે 12,100 કરોડની બોલી લગાવી હતી
જાહેર ક્ષેત્રની ઉપક્રમ નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL) ના ખાનગીકરણની પ્રક્રિયા સોમવારે પૂરી થઈ હતી. હવે તેનું નિયંત્રણ ટાટા જૂથની કંપની ટીએસએલપીને સોંપવામાં આવ્યું છે. વિત્ત મંત્રાલયે સોમવારે એક જાહેરાત કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલની સરકારના કાર્યકાળમાં આ બીજી ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પહેલા એર ઈન્ડિયાની કમાન ટાટા જુથના સમૂહને સોંપવામાં આવી હતી.
નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL) ના ખાનગીકરણ માટે આમંત્રીત બોલીઓ માંથી ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સને જાન્યુઆરીમાં વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. ટાટા સમૂહે આ ખોટમાં ચાલી રહી કંપની માટે 12,100 કરોડની બોલી લગાવી હતી. આ બોલી 5,616.97 કરોડ રૂપિયાની આરક્ષિત મૂલ્યથી ડબલ હતી. વિત્ત મંત્રાલયે જણાવ્યું હતું કે ટાટા જૂથની કંપની ટીએસએલપીને 93.71 ટકા શેર સોંપીને ખાનગીકરણ સોમવારે પૂર્ણ કરવામાં આવ્યું છે.
નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL) સાર્વજનિક ક્ષેત્રની ચાર કંપનીઓ MMTC, NMDC, BHEL અને MECON ઉપરાંત, તે ઓડિશાના બે સરકારી એકમો OMC અને Epicol વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ કંપનીમાં MMTC પાસે 49.78 ટકા હિસ્સેદારી હતી જ્યારે NMDC પાસે 10.10 ટકા, BHEL પાસે 0.68 અને MECON પાસે પણ 0.68 ટકાનો હિસ્સો હતો અને ઓડિશાના બે સરકારી એકમો OMC અને Epicol પાસે 20.47 અને 12 ટકા હિસ્સો હતો.
BHEL એ NINL માં તેનો 0.68 ટકા હિસ્સો વેચીને TSLP ને ટ્રાન્સફર કર્યો હતો. નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ના પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 11 લાખ ટન છે પણ સતત ખોટને કારણે આ પ્લાન્ટ માર્ચ 2020 થી બંધ પડ્યો છે. આ ખાનગીકરણથી સરકારી ખજાનામાં કોઈ પણ વૃધ્ધિ થઈ નથી.