નાણામંત્રી નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં અફોર્ડેબલ હાઉસિંગને લઇને મોટુ એલાન કર્યું છે. તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય, તે માટે સરકારે સરકારી જમીનોને બચવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રીએ કહ્યું છે કે, પબ્લિક સેક્ટર કંપનીઓની જમીનો પર અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવશે. આપને જણાવીએ કે સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધી દેશમાં તમામ પાસે પોતાનું ઘર હોય.
એવું માનવામાં આવી રહ્યું છે કે બજેટમાં અપોર્ડેબલ હાઉસિંગ માટે મોટું એલાન થઇ શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મોદી સરકારે વર્ષ 2022 સુધી સૌને ઘર આપવાનં લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગને વધારવા માટે રિયલ્ટી શેરમાં પણ તેજીની આશા દર્શાવાઇ રહી છે.
1 કલાકમાં મળશે 1 કરોડ સુધી લોન
જો તમે ખુદનો વેપાર શરૂ કરવા માંગો છો અને ફંડને લઇને ચિંતિત થવાની જરૂર નથી. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું છે કે સરકારે MSME લોનને લઇને નવી સુવિધા આપી છે. જે હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 1 કલાકમાં પાસ થઇ જશે.
હાલ વર્તમાન બિઝનેસ જ કરી શકશે અપ્લાઇ
સરકારની આ સુવિધા વર્તમાન બિઝનેસ માટે જ છે. પરંતુ જલ્દી જ નવા બિઝનેસ માટે તેના દ્વારા લોન લઇ શકાશે. લોન અમાઉન્ટ 8 દિવસોની અંદર આપના એકાઉન્ટમાં આવી જશે.
MSME પર સરકારનું ફોકસ
સરકારનું ફોકસ MSME સેક્ટર વધારવા પર છે. સરકારનું માનવું છે કે આ સેક્ટરને બુસ્ટ આપી ન માત્ર દેશનો વિકાસની ઝડપનો ગ્રોથ આપે શકાય છે. પરંતુ તેના દ્વારા લાખો નવી નોકરીઓ પેદા કરી શકાય છે. ઇકોનોમિક સર્વેમાં પણ MSME પર જોર આપવાની વાત કરવામાં આવી છે.