રાહુલ -પ્રિયંકાની જોડી હવે લગભગ સોનિયા રાહુલની સત્તા સમીકરણને બદલવા માટે તૈયાર છે. જે ઘણી હદ સુધી અહેમદ પટેલ અને મોતીલાલ વોરા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો.
રાહુલ 87માં અધ્યક્ષ તરીકે પાછા આવવાની તૈયારી કરી રહ્યા છે
પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પાર્ટીમાં એક મોટી ભૂમિકા નિભાવવાની તૈયારીમાં
પ્રિયંકા તેનો શ્રેય યુપીના અજય કુમાર લલ્લૂને આપશે
રાહુલ 87માં અધ્યક્ષ તરીકે પાછા આવવાની તૈયારી કરી રહ્યા છે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી એક વાર ફરીથી AICC એટલે કે ભારતીય કોંગ્રેસ કમિટીના 87માં અધ્યક્ષ તરીકે પાછા આવવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાને જોરશોરથી ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણ ચીન અને બીજા મુદ્દાને પણ સતત ઉઠાવ્યા છે. આ એ વાતના સંકેત છે કે યુવા ગાંધી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ એક લોકપ્રિય ચહેરા કરતા વધારે ધ્રુવીકરણ કરનારા નેતા તરીકે સામે આવ્યા છે. રાહુલ ગાંધીને આવું કરવાની સલાહ વર્ષ 2012માં પ્રતિષ્ઠિત રાજનીતિક સલાહકાર સ્ટેફન કટરે આપી હતી. તે બરાક ઓબામાના ચૂંટણી અભિયાનના મેનેજર હતા. તે સમયે તેમણે કોંગ્રેસની ઓફિસમાં રાહુલની સાથે મુલાકાત કરી હતી. હકિકતમાં તે સમયે કેન્દ્રમા યુપીએ સરકાર હતી અને રાહુલ પણ તેમની સલાહ પર ધ્યાન નહોંતા આપી શકતા.
પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પાર્ટીમાં એક મોટી ભૂમિકા નિભાવવાની તૈયારીમાં
આ ઉપરાંત એવું ચર્ચાઈ રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પાર્ટીમાં એક મોટી ભૂમિકા નિભાવવાની તૈયારીમાં છે. રાહુલ પ્રિયંકાની જોડી હવે લગભગ સોનિયા રાહુલની સત્તા સમીકરણને બદલવા તૈયાર છે. જે ઘણી હદ સુધી અહેમદ પટેલ અને મોતીલાલ વોરા દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. રાહુલના અધ્યક્ષ બનવા પર પ્રિયંકા અનેક ભૂમિકા નિભાવી શકે છે. એ કામ જે પહેલા પટેલ અને વોરા કરતા હતા. એટલે કે પ્રિયંકા રાહુલ અને પાર્ટીની વચ્ચે એક પુલનું કામ કરી શકે છે. એક એવા મેનેજરની ભૂમિકા જે પાર્ટીને મુશ્કેલીની હાલતમાં કામ આવે. એટલે કે પાર્ટીમાં નંબર 2ની ભૂમિકા. કોંગ્રેસના અનેક નેતાઓને લાગે છે કે પ્રિયંકાના મિશન ઉત્તર પ્રદેશ કેમ્પેને તેમના મહત્વને વધારી દીધું છે. જ્યારે મીડિયાનો એક વર્ગ એવું નથી માનતો. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશમાં એક નેતા અથવા મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવાની કોઈ મહત્વકાંક્ષા વ્યક્ત કરી નથી.
પ્રિયંકા તેનો શ્રેય યુપીના અજય કુમાર લલ્લૂને આપશે
વિશેષજ્ઞોનું કહેવું છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સફળ રહે છે કે પ્રિયંકા તેનો શ્રેય યુપીના કોંગ્રેસ કમિટી પ્રમુખ અજય કુમાર લલ્લૂને આપશે. તેવું બતાવવા માંગે છે કે તે ક્ષેત્રીય સ્તર પર પાયો તૈયાર કરી રહી છે અને તેનો ફાયદો મળી શકે છે. કોંગ્રેસ સમકાલન ઈતિહાસમાં વિદ્યાર્થીના રુપમાં પ્રિયંકા ગાંધી સારી રીતે ઓળખાતા હતા. કોંગ્રેસના સારા જૂના દિવસ પાછા લાવી શકાય છે જો અજય લલ્લૂની જેમ બીજા નેતાઓને પણ દેશના અન્ય રાજ્યોમાં તૈયાર કરી શકાય.
નવા અઘ્યક્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2022 સુધી ચાલશે
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, પોન્ડિચેરી અને કેરળમાં વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ AICC સંગઠનાત્મક ચૂંટણીની જાહેરાત જૂન અને ઓગસ્ટ 2021ની વચ્ચે પૂરી થવાની છે. ત્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે જો કોંગ્રેસ કેરળમાં સારુ પ્રદર્શન કરે છે તો જીતનો હિસ્સો બની શકે છે. સાથે તમિલનાડુ અને પોન્ડિચેરીમાં ગઠબંધનની સત્તા રહે છે. તો પછી રાહુલ ગાંધીને ફરી થી અધ્યક્ષ બનાવવની મુહિમ તેજ થઈ શકે છે. પરંતુ 5 રાજ્યોમાં હાર પર કોંગ્રેસમાં બેચેની વધી શકે છે. નવા અઘ્યક્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2022 સુધી ચાલશે. કોંગ્રેસ સંવિધાનના અનુચ્છેદ XVIII [H] અનુસાર એક નિયમિત અધ્યક્ષને નિર્વાચક મંડળ દ્વારા પસંદગીની જરુરિયાત છે. જેમાં AICCના પ્રતિનિધિઓની સંખ્યા લગબગ 1300 છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ શર્માને ખડગેના ડેપ્યૂટીના રુપમાં બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે. શર્માનો કાર્યકાળ એપ્રિલ 2022માં સમાપ્ત થઈ રહ્યો છે. મનાઈ રહ્યું છે કે આ બાદ શક્તિસિંહ ગોહિલે આ જવાબદારી મળી શકે છે.