આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા જ બધા જ પક્ષોએ પોતાના મતદાતાઓને પ્રલોભનો આપવાની શરૂઆત કરી દીધી છે.
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી
ત્રણ નેતાઓને ઉતારવામાં આવશે મેદાનમાં
શક્તિ મહેન્દ્ર સિંહ પણ ચૂંટણી લડી શકે
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી
ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા જ બધા જ પક્ષોએ પોતાના મતદાતાઓને પ્રલોભનો આપવાની શરૂઆત કરી દીધી છે. યુપીની સત્તામાં હાલમાં ભાજપ છે અને તે પણ ચૂંટણીને લઈ પોતાની રણનીતિ બનાવી રહ્યું છે. આ બધા વચ્ચે સૂત્રોએ દાવો કર્યો છે કે ભાજપે રણનીતિમાં આ વખતે CM યોગી આદિત્યનાથ, DYCM કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.
ત્રણ નેતાઓને ઉતારવામાં આવશે મેદાનમાં
સૂત્રોએ કહ્યું કે આ ત્રણેય મોટા નેતાઓ સિવાય ભાજપના યુપીના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો. સૂત્રોનું માનીએ તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં નક્કી થયું કે યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મોર્ય પહેલા પણ લોકસભા ચૂંટણી લડવા આવ્યા છે, એવામાં આ બધા જ નેતાઓને વિધાનસભા માટે રણમાં ઉતારવામાં આવશે તો સારો મેસેજ આવશે અને ભાજપ આક્રમક થશે.
શક્તિ મહેન્દ્ર સિંહ પણ ચૂંટણી લડી શકે
ભાજપમાં જોડાયેલ સૂત્રોની માનીએ તો પાર્ટી CM યોગીના ગઢમાં ગોરખપુર, DYCM કેશવ પ્રસાદ મોર્યને પ્રયાગરાજ અને દિનેશ શર્માને લખનઉથી ચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકાય છે. આ ઉપરાંત રાજ્યમંત્રી શક્તિ મહેન્દ્ર સિંહ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. અત્યારે આ બધા જ નેતા વિધાન પરિષદના સભ્ય છે.