રાજ્યના અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયાને માહિતી આપતા કહ્યું કે સંભવિત ત્રીજી લહેરને લઇને સરકારે તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇ સરકારે કરી છે તૈયારી
આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયાને આપી માહિતી
લગ્નગાળાને કારણે કેસમાં મામુલી વધારો : આરોગ્ય અગ્રસચિવ
ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 કેસ નવા કેસ સામે આવ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે, ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનના ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે તંત્ર દ્વારા ઓમિક્રોનને નાથવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇ સરકારે કરી છે તૈયારી
આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે જામનગરના દર્દીઓની હાલત હાલ સ્ટેબલ છે તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપવામાં આવશે. હાલ રાજ્યમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલી લગ્નની સિઝનને કારણે કેસો વધી રહ્યા છે. સંભવિત ત્રીજી લહેરને લઇને પણ સરકારે તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. આ સાથે ગુજરાતના પડોશી રાજ્યોમાં વધતા જતા કોરોના કેસોને લઇને અન્ય રાજ્યો સાથે જોડતી સરહદો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે.
આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયાને આપી માહિતી
મહત્વનું છે કે રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટના ત્રણ કેસ સામે આવ્યા છે ત્યારે હાલ ઓમિક્રોન વેરિએન્ટ વિશે વાત કરતા મનોજ અગ્રવાલે કહ્યું કે જામનગરમાં ઓમિક્રોન સામે આવેલા ઓમિક્રોન દર્દીઓની સ્થિતિ હાલ સામાન્ય છે. તમામ પોઝિટિવ આવેલા દર્દીઓને નેગેટિવ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન રખાય છે તેમજ પોઝિટિવ કેસના સેમ્પલ સારી જગ્યાએ ટેસ્ટિંગ માટે મોકલાય છે. પોઝિટિવ કેસના સેમ્પલ સારી જગ્યાએ ટેસ્ટિંગ માટે મોકલાય છે. આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના જિનોમ સિક્વન્સિંગ અંગે લેબ ટેક્નિશિયનને જાણકારી આપવામાં આવી રહી છે ઓમિક્રોનનો રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગે છે.
લગ્નગાળાને કારણે કેસમાં મામુલી વધારો : આરોગ્ય અગ્રસચિવ
ઉલ્લેખનિય છે કે હાલ રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નની સિઝન દરમિયાન કોરોના ઝડપી ફેલાતો હોય છે, આરોગ્ય અગ્રસચિવે કહ્યું કે લગ્નગાળાને કારણે કેસમાં મામુલી વધારો થયો છે. જમતી વખતે અથવા મળતી વખતે સંક્રમણ ફેલાય છે ટેસ્ટ વધુ થાય તો સાચો ખ્યાલ આવે, કોરોનાની ત્રીજી લહેરની લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ મનોજ અગ્રવાલે જણાવ્યું છે. તેમજ બેડ, ઓક્સિજન અને કર્મચારીઓને તાલીમ પણ આપાઈ છે. આરોગ્ય અગ્રસચિવે લોકોને સાવચેતી રાખવાનો નિર્દેશ કર્યો છે સાથે ત્રીજી લહેરને નાથવાની તમામ તૈયારીઓ આપણે રાખવી જ પડશે તેવું પણ જણાવ્યું છે. હાલ ઓક્સિજન અને બેડની સંખ્યમાં વધારો કરવામાં આવી રહ્યો છે. દવાઓનો પૂરતો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે.