બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. સારા અલી ખાને દ્વારકાધીશના દર્શન માટે મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી હતી.
બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાના દર્શને
દ્વારકાધીશના દર્શન માટે મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી
દર્શન કરી દેવસ્થાન સમિતિની વિઝીટ બુકમાં પણ કરી નોંધ
મોરબી જિલ્લાના વાંકાનેર પેલેસમાં ફિલ્મ ગેસલાઇટનું શૂટિંગ ચાલી રહ્યું છે.સારા અલી ખાન મોરબીમાં રોકાઈ છે. જેને લઇને તે વાંકાનેર અને મોરબી વચ્ચે આવન-જાવન કરતા રહે છે. ત્યારે આજે સારા અલી ખાન દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. ગળામાં ખેસ પહેરીને મંદિરમાં જતા નજરે પડી હતી. અહીં દર્શન માટે પહોંચીને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે દેવસ્થાન સમિતીની વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી. દ્વારકાથી તે નાગેશ્વર મંદિરે જવા નીકળી જ્યાં પણ તે પૂજા અર્ચના કરશે.
વાંકાનેર પેલેસમાં ચાલી રહ્યું છે ફિલ્મ ગેસલાઇટનું શૂટિંગ
વાંકાનેર પેલેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ ચાલી રહ્યું છે. સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની હોટલ સરોવર પોર્ટિકામાં રોકાયા છે. સારા, ચિત્રાંગદા સિંહા અને વિક્રાંત મેસી સહિતના કલાકારો મોરબીની આસપાસ ફરતા રહે છે.