આતંકવાદ મુદ્દે ઈંગ્લેન્ડે પણ હવે પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે. બ્રિટિશ પીએમએ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સાથે ફોન પર વાત કરી છે. બ્રિટિશ પીએમએ ઈમરાન ખાન સાથે વાત કરીને કહ્યું છે કે, પાકિસ્તાન આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે.
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જૈશે જવાબદારી સ્વીકારી હતી. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો આકા મસૂદ અઝહર છે અને તેને પાકિસ્તાનનું સમર્થન છે.
જ્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રે પણ આ મામલે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને જણાવ્યું છે. આતંકવાદને લઈને પાકિસ્તાન પર અમેરિકાએ પણ અનેક પ્રતિબંધો લગાવ્યા છે. આમ હવે ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનને આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે લાલ આંખ કરી છે.
બ્રિટેનના પીએમએ જણાવ્યું કે ભારત સાથે ચાલી રહેલા તણાવને ઓછો કરવા પર પાકિસ્તાનના પીએમની પ્રતિબધ્ધતા અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
બંને નેતાઓએ આ વિવાદના કારણ પર ચર્ચા કરી અને વૈશ્વિક આતંકવાદ સાથે લડાઇ હેઠળ બધા આતંકી સંગઠનો પર કાર્યવાહી માટે પાકિસ્તાનની ભૂમિકાને મહત્વ આપ્યું છે..