મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લામાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં અકસ્માત થયો હતો.
UPDATE :
ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 15 પહોંચી છે, તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રકની અંદર કુલ 16 શ્રમિકો સવાર હતા.
મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લામાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં અકસ્માત થયો હતો.
મહારાષ્ટ્રમાં બુલઢાણામાં સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને સપને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ સાથે દુર્ઘટના સર્જાવાની છે.
રાજમાર્ગ પરિયોજના માટે કામ કરતાં હતા
સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે કામ કરતાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં અકસ્માત થયો હતો.
આ ભીષણ અક્સ્માતમાં 13 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા હતા. હજુ સાચો આંકડો મળી શક્યો નથી.
પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કહ્યું હતું કે સીંદખેરાજ તાલુકા પાસે તઢેગાવ પાસે સમૃદ્ધિ મહામાર્ગ પર એક ડમ્પર પર લોખંડના સળિયા લાદેલ હતા.
16 શ્રમિકો દબાઈ ગયા હતા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે ડમ્પર રસ્તા ઉપર લપસવાના કારણે અકસ્માત થયો હતો. ડમ્પર પલટી ખાઈ જવાના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બીજા 5 લોકો હોસ્પિટલ પહોંચવા દરમિયાન અવસાન પામ્યા હતા.
Maharashtra: A tipper truck, carrying 15 labourers, overturns in Buldhana. Casualties and injuries feared. Details awaited. pic.twitter.com/G4gXGGxKCM