ગુજરાતમાં આજે અકસ્માતની હારમાળા સર્જાઈ છે. ભાવનગરમાં દંપત્તીનું મોત થયું છે તો પોરબંદરમાં એક પોલીસ કર્મી અકસ્માતનો ભોગ બન્યો છે.
આજે અકસ્માતનોની હારમાળા
ભાવનદરમાં દંપતિનું મોત
પોરબંદરમાં પોલીસકર્મીનું મોત
ભાવનગરના ઘાનઘલી નજીક અકસ્માત સર્જાયો છે. બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાઈક પર બેઠેલા દંપતિનું મોત નિપજ્યું છે. કરમદીયા ગામે રહેતા દંપતિનું મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં પોલીસ કર્મીનું મોત
પોરબંદરની વીર ભનુ ની ખાંભી નજીક અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જ્યો છે. વીર ભનુ ની ખાંભી નજીક ફરજબજાવી રહેલા 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સારવાર દરમિયાન એ.એસ.આઈ.ગોવિંદભાઈ ગરચર નું મોત નીપજ્યું છે જ્યારે 1 પોલીસ કર્મી ને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
અમદાવાદમાં AMTS બસની અડફેટ મહિલાનું મોત
અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે આ ઘટના બની હતી. ન્યુકોટન ચાર રસ્તા પાસે AMTS બસે મહિલાને અડફેટે લીધી હતી. ઘટનામાં મહિલાનું મોત થયું છે. ડ્રાઇવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.